SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું શકે છે. અશુભભાવી જીવો માટે નિસ્પૃહભાવ રાખવાથી ક્ષમાભાવ કેળવાય છે, જીવનો માનભાવ હણાય છે જેનાથી તેનો માર્દવ ગુણ ખીલે છે. અને આ બે ગુણના આધારે જીવ પોતાનો આત્મવિકાસ કરી શકે છે. આ બંને ગુણો કૃપાળુદેવમાં પ્રતિમાના પ્રસંગ વખતે સારી રીતે ખીલેલા જોવા મળે છે. જુઓ તેમનાં આ વચનો, - ― “પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. મતભેદથી અનંતકાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે.” (ભાદરવા વદ ૧, ૧૯૪૪. આંક ૩૬) “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી એ માટે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય, તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે ?” “અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહિ પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહી; તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર આ ..... ..... ૨૨૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy