SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે ભાગદોડની વચ્ચે, સગુરુરૂપી કરુણામય માર્ગ બતાવનારની સહાયતા વિના જીવ શુધ્ધ પુદ્ગલરૂપી શાસ્ત્રોને પોતાનાં અંતરંગમાં પામી શકતો નથી, તેને માર્ગદર્શક, માર્ગબોધક સદ્ગુરુની સહાય પ્રત્યેક પગલે વિકાસ માટે જરૂરી બને છે. સગુરુ આ વચલી કડી કેવી રીતે બને છે તે વિચારવા યોગ્ય છે. શ્રી તીર્થંકરપ્રભુ દેશના વખતે અને અન્ય ઉદય પ્રસંગે પોતે છદ્મસ્થાવસ્થામાં એકત્રિત કરેલા “જીવસમસ્તનું કલ્યાણ થાય એ ભાવના કર્મ પરમાણુઓ વાતાવરણમાં વહેતાં મૂકે છે. આ ચર(ફરતા) પરમાણુઓ સત્પાત્ર આત્માઓ પોતાના કલ્યાણભાવને ઘૂંટવા જગતમાંથી એકત્ર કરે છે. જે જીવ સાથે ઋણાનુબંધ હોય તે જીવને લગતાં કલ્યાણના પરમાણુઓ ગ્રહણ થઈ પોતાના સ્વયં કલ્યાણભાવ સાથે એકરૂપ થાય છે, આ બંનેના – તીર્થકર (કેવળીપ્રભુ) અને સદ્ગુરુના – કલ્યાણભાવનું મિશ્રણ થતાં તેની શક્તિ ઘણી વધી જાય છે. અને આ પરમાણુઓ જ્યારે શ્રી સદગુરુ પાસેથી તેના શિષ્ય પાસે બોધ કે ઉપદેશ સ્વરૂપે પહોંચે છે ત્યારે કલ્યાણભાવનાં હાર્દના પ્રભાવથી શિષ્ય કલ્યાણમાર્ગ પ્રતિ ખૂબ આકર્ષાય છે, તેની સંસારથી છૂટવાની ભાવના ખૂબ બળવાન થાય છે, અને તેના કષાયો શાંત ને શાંત થતા જાય છે. આમ આ કલ્યાણભાવનું મિશ્રણ અમંગલરૂપ સંસારમાં શિષ્યને મંગલરૂપ કરે છે. જો આ મિશ્રણ શ્રી સદગુરુ અને પુરુષના આત્મામાં થતું ન હોય તો માર્ગનું સનાતનપણું રહી શકે નહિ. શ્રી તીર્થંકર પ્રભુએ વહાવેલા કલ્યાણનાં પરમાણુઓ જો અન્ય પુરુષો ગ્રહણ કરે નહિ તો તે પરમાણુઓ આ જગતમાં વ્યર્થપણે જ ફરતા રહે. વળી શ્રી તીર્થકર પ્રભુ સિવાયના સમસ્ત સપુરુષોમાં જીવ સમસ્તના કલ્યાણની ઉત્કૃષ્ટ છતાં નિસ્પૃહ ભાવના ઉદ્ભવતી નથી, તેઓમાં માત્ર અમુક કક્ષા કે સંખ્યા સુધીના જીવોનું કલ્યાણ વાંછવાની શક્તિ રહે છે, અને જેટલા જીવોનું કલ્યાણ વાંછવામાં આવે તેનાથી અસંખ્યાતમા ભાગના જીવોનું જ કલ્યાણ થાય છે. બીજા જીવો માટેનાં કલ્યાણભાવનાં પરમાણુ નિરર્થક બને છે. વળી, અરિહંત સિવાયના કોઈ જીવમાં કલ્યાણની ભાવના સ્વયં પ્રગટતી નથી. પ્રત્યેક જીવને બીજાનાં કલ્યાણભાવનાં પરમાણુના આધારની જરૂર પડે છે, પોતાનો કલ્યાણભાવ સ્વીકારવા અને વિસ્તૃત કરવા. આ અવલંબનના ૧૯૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy