SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જગતમાં તરતા મૂકતા જાય છે. જ્યારે પુરુષ કે સગુરુ પોતાના કલ્યાણભાવને ઘૂંટે છે ત્યારે તેમાં શ્રી પરમેષ્ટિ પ્રભુએ તરતા મૂકેલા કલ્યાણનાં પરમાણુઓ ભળે છે અને એ સત્પરુષાદિના કલ્યાણભાવને બળવાન કરે છે. તેઓ જ્યારે સિધ્ધ થાય છે ત્યારે બાકી બચેલા કલ્યાણભાવનાં પરમાણુઓ જગતમાં તરતા મૂકતા જાય છે. આ પરમાણુઓ અન્ય કલ્યાણભાવી જીવો ગ્રહણ કરે છે. અને આમ કલ્યાણ કરવાનો માર્ગ સતત ચાલતો રહે છે. આ પ્રક્રિયાને કારણે સમજી શકાશે કે જગતમાં કલ્યાણના માર્ગ બે નથી, એક જ છે અને એ માર્ગ પણ સનાતન છે. ક્યારેય ક્ષય પામતો નથી. જગતમાં વિદ્યમાન અનેક પરમેષ્ટિ પ્રભુમાં એક સાથે જઘન્ય ૨૦ તીર્થકર ભગવાન હોય છે અને ઉત્કૃષ્ટ ૧૭૦. એથી સ્પષ્ટ છે કે માર્ગ સનાતન છે. અલબત્ત, જગતના અમુક ભાગમાં ધર્મ પ્રવર્તન વિશેષ છે, અમુક ભાગમાં અલ્પ છે અને અમુક ભાગમાં ધર્મનું અસ્તિત્વ જ નથી. પણ જગત આખું ક્યારેય ધર્મરહિત કે ધર્મમય બનતું નથી. માર્ગનું સનાતનપણું, શ્રી તીર્થકર પ્રભુ દ્વારા સ્વયં સેવાતો ‘જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ અને અન્ય પરમેષ્ટિ ભગવંતથી અનુસરાતા તથા અનુમોદાતા કલ્યાણભાવમાંથી નિષ્પન્ન થતો ઉત્કૃષ્ટ મંગલમય ધર્મ પોતે જ પોતાની ઉત્તમતાની સાબિતિ આપે છે. આ સનાતાનપણા અને કલ્યાણભાવના પર વિચાર કરવાથી ધર્મનું મંગલપણું સ્પષ્ટ થઈ જાય છે. ધર્મ સંસ્થાપક અને મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુએ ધર્મમાર્ગ પ્રકાશિત કર્યો. અને જેટલી શુધ્ધતા શક્ય હતી તેટલી શુધ્ધતાથી તેમણે આત્માનાં સ્વરૂપને સમજાવ્યું છે. એ માર્ગને પૂર્ણ વીતરાગી પરમાત્માએ ઉત્તમ રીતે દર્શાવ્યો, પણ પાત્રતાના અભાવવાળા જીવો તેને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્યા નહિ. શ્રી ગણધરપ્રભુ જેવા ઉત્તમ સત્પાત્રો તેને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્યા. વીતરાગવાણી ઉત્તમ તો હતી જ, પણ તેને ઝીલી શકે એવી પાત્રતા સહુ જીવોમાં ન હોય તે સહજ છે. આમ છતાં મંદપાત્ર જીવોની છૂટવાની ભાવના હોવાથી તેઓ અને શ્રી તીર્થંકર પ્રભુને જોડનારી, કરુણામય સદ્ધર્મનાં શરણમાં રાખી શકે એવા શ્રી સદ્ગુરુની જરૂરિયાત અવશ્ય બની. આ કાર્ય કરે છે શ્રી ગણધરાશિ પ્રમુખ સગુરુ. પુદ્ગલનાં મમત્ત્વની ૧૯૪
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy