SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીએ ૧ લાખ કિ.મી. નો વિહાર કરી તેમની પ્રેરણાથી ઘણા સ્થળે ઉપાશ્રય, દવાખાના, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, પાઠશાળા, યુવકમંડળ, મહિલામંડળ, પ્રાર્થનામંડળ વગેરેની સ્થાપના કરી ગોંડલ સંપ્રદાયમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. પોતાના શિષ્યવર્ગને તપના રાહબર બનાવી રત્નત્રયની આરાધના કરાવે છે. અત્રતત્ર અને સર્વત્ર પૂ. પ્રાણગુણીના નામની બોલબાલા છે. ૭૦ચાતુર્માસ એવા કર્યા છે કે હજુ સુધી કોઈ ભૂલતા નથી. ચાતુર્માસમાં ચાર ચાંદ લાગે, વિક્રમ સર્જાય એવા અવનવા આયોજનો કરી સૂતેલા લોકોને જગાડ્યા છે. ગુરુની, ગચ્છની, શાસનની, સંઘની, સમાજની જાહોજલાલી વધે તેવા સત્કાર્યો કર્યા છે. તપસમ્રાટ પૂ. ગુરુદેવ સાથે પહેલું ચોમાસુ રાજકોટ, સરદારનગર, બીજું વડીયા તથા ત્રીજું રાજકોટ, રોયલપાર્કમાં સામૂહિક ત્રણ ચાતુર્માસ કરી ગુરુદેવની વાંચણીનો અનન્ય લાભ લીધેલ છે. પૂ. પ્રાણગુણીએ તેમના માતુશ્રી ગંગાબેન જયાચંદ ચોવટીયા અને ભાભીશ્રી તારાબેન રતિલાલ ચોવટીયાને દીક્ષા દાનની સાથે સંથારો કરાવી માવિત્રના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થયા છે. પૂજ્યશ્રી તથા તેમના શિષ્યાઓની નાતંદુરસ્ત તબિયત હોવાના કારણે વલસાડ - મગોદ “પ્રાણધામ” માં સ્થિરવાસ કરી સાધનામાં અડીખમ આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ “પ્રાણધામ” એક અદ્વિતીય ધામ બની ગયું છે. જે આવે તે કંઈક પામીને જ જાય છે. આજે પ્રાણધામમાં શાસનરત્ના પૂ. પ્રાણકુંવરબાઈ મ., યશસ્વી પૂ. યશોતિબાઈ મ., સેવાભાવી પૂ. પ્રજ્ઞાબાઈ મ., સ્વાધ્યાયપ્રેમી પૂ. શૈલાબાઈ મ., વિરલવિભૂતિ ડૉ. પૂ. વિરલબાઈ મ., કોકિલકંઠી પૂ. પ્રિયલબાઈ મ. બિરાજે છે. તેઓશ્રીના સાન્નિધ્યમાં આ પવિત્ર ભૂમિમાં જ્ઞાનસત્રનું આયોજન કરી કાંચનમણિયોગનું સર્જન કરી જ્ઞાનની ગરિમા વધારી છે. પૂજ્યશ્રીના કયા કયા ગુણને કંડારવા, બધા જ ગુણ લખવા બેસીશ તો આખી બુકના પાનાં ઓછા પડશે. આપશ્રી યુગોયુગ વર્ષ જીવી અનેક આત્માઓને ભવ્ય રસ્તે ચડાવો. આપ આરોગ્યના અમૃતને પ્રાપ્ત કરો. .. જેન કથાનકોમાં સબોધના સ્પંદનો અનુક્રમણિકા ક્રમ વિષય લેખકનું નામ ૧. સમત્વ થકી વીતરાગતા સમ્યક પરાક્રમના રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ બોલમાં સદ્બોધના સ્પંદનો નમ્રમુનિ મ.સા. ધન્ય સાર્થવાહની કથાનકમાં સબોધના પૂ. ડૉ. આરતીબાઈ સ્પંદનો સ્વામી ૩. ઈકોઈ રાઠોડના કર્મની કિકિયારી બતાવતી પૂ. ડૉ. વિરલબાઈ કથાનું સંવેદન સ્વામી ૪. જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ગુણવંત બરવાળિયા છલોછલ ભર્યા છે. ૫. સમતાના મેરુ - કુરઘડુ ડૉ. ગુલાબ દેઢિયા શ્રી ૨થનેમિની કથામાં રહેલા સમ્બોધના જાદવજી કાનજી વોરા સ્પંદનો ૭. ચંપા શ્રાવિકાની કથામાં સમ્બોધના સ્પંદનો ભારતી દીપક મહેતા વિનોદચોત્રીસી' માં સબોધના સ્પંદનો ડૉ. કાન્તિભાઈ બી. શાહ ૯. પ્રસન્નચંદ્રને જોયા છે? ડૉ. ગુલાબ દેઢિયા ૧૦. “જનનીનું ભિક્ષાપાત્ર’ - કથાનક અને ડૉ. માલતી શાહ અને તેના સર્જક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ૧૧, મોહનલાલ ધામી કૃત ‘વેળા વેળાની વાદળી’ પારુલ ભરતકુમાર ગાંધી માં વ્યક્ત થતો કર્મસિદ્ધાંત ૧૨. સગર ચક્રવર્તી - જીવનચરિત્ર - એક અધ્યયન જસવંત ધનજીભાઈ શાહ અને કથામાં આધ્યાત્મિક નિરૂપણ ૧૩. ઈલા અલંકાર કથામાં સબોધના સ્પંદનો ડૉ. રતનબેન છાડવા ૧૪. મહામંત્રી ઉદયનની કથામાં ભક્તિના સ્પંદનો ડૉ. પ્રવીણ સી. શાહ ૧૫. લબ્ધિ દિશાદર્શન કરાવતી મુનિ ડૉ. છાયાબેન શાહ નંદિષણની કથા ૧૬. પ્રભાવકની કથામાં સંબોધના સ્પંદનો ડૉ. રશ્મિબેન ભેદા ૧૭. શ્રી સનતકુમાર ચક્રવર્તીની કથામાં મિતેશભાઈ એ. શાહ સબોધના સ્પંદનો ૬૪ ૯૪ મિનિટ ૧૧૯ પ્રાણધામ વલસાડ ૧૨૩ ૧૩૧ શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મ.ના સુશિષ્યા ડૉ. વિરલબાઈ મહાસતીજી
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy