SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 33333333333333333333333 ણવિ અન્થિ મજ્જ કિંચિવિ, અણ્ણ પરમાણુમેર્ત્તપિ.(૩૮) હું એક, શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે. ' શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં નીચેની પંક્તિઓનું સતત રટણ કરાવવામાં આવે છે. હું દેદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી; હું શુદ્ધ, ચેતન, અવિનાશી એવો આત્મા છું, આત્મા છું.” પણ આ ધ્યાનપૂર્ણ જાગૃતિ સાથે કરવાનું છે. નહીંતર ‘આત્મા છું’ને બદલે આત્મા જ ‘છૂ’ થઈ જશે. કેવળ રટણ રહી જશે. સંપૂર્ણ એકાગ્રતાથી અને અત્યંત ભાવપૂર્ણ આ ધ્યાન કરતા કરતા શ્રીમદજી કહે છે : ‘આત્મા’ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ (૬) પ્રેક્ષાધ્યાન : આમ આત્માનું ધ્યાન અને આત્માની ભાવના એ જ નિશ્ચયનય ધ્યાન છે. પ્રક્ષાધ્યાન આ જ પ્રકારના ધ્યાનનું આજનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે.. એનો મૂળ ઉદ્દેશ છે - આત્મસાક્ષાત્કાર. ગણાધિપતિ આચાર્ય શ્રી તુલસીની પ્રેરણાથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞે આત્મા વિશે ઊંડા અભ્યાસ સાથે ધ્યાનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. પછી સ્વયં પર પ્રયોગો કરી ‘પ્રેક્ષાધ્યાન’ની - જૈન ધ્યાનની - પદ્ધતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે - ચિત્તની નિર્મળતા. કપાયોથી મલિન ચિત્તમાં ન તો જ્ઞાનની ધારા વહી શકે છે કે ન આત્માનંદ. નિર્મતા વ્યક્તિનું આંતરિક રૂપાંતર છે. જૈનાગમોમાંથી ધ્યાનને લગતા સૂત્રોનો આધાર પ્રક્ષાધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમ કે ‘સંપિÐએ અપ્પગમપ્પ એણં’ - આત્મા દ્વારા આત્માને જુઓ. સ્વયં સ્વયંને જુઓ. ‘અપણા સચ્ચ મેસેજ્જા, મેત્તિ ભૂએસ કપ્પએ.’ સ્વયં સત્યને શોધો અને બધાં પ્રાણીઓ સાથે મૈત્રીક કરો. ૯૬ આચરાંગ સૂત્રમાં પ્રેક્ષાતી - કેવળ જોવાથી - રાગદ્વેષ વગર તટસ્થતાથી જોવાથી સાધક ક્રોધાદિ કપાયથી લઈને દુઃખ પર્યંત થનાર ચક્રવ્યૂહને તોડી નાખે છે. (૩૦/૮૩), મહાન સાધક અર્મ (ધ્યાનસ્થ) થઈને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (માત્ર) મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (મત્ર) જાણે અનેજુએ છે (૨/૩૭). જે જુએ છે એને માટે ‘પાસએ' શબ્દ દ્વારા કહ્યું છે કે એને માટે કોઈ ઉપદેશ નથી. (૩/૧૮૫). વળી કહ્યું છે કે જે જુએ છે (પાસએ) તેને કોઈ મુશ્કેલી-દુ:ખ (misery) નથી હોતી. આમ પ્રેક્ષાધ્યાન એ માત્ર જોવાની અને જાણવાની પદ્ધતિ છે. એનાં અંગો છે - મહાપ્રાણધ્વનિ, સંકલ્પ સૂત્ર, કાયોત્સર્ગ, અન્તર્યત્રા ચાસ પ્રેક્ષા, શરીરપ્રેક્ષા, ચૈતન્હેન્દ્રપ્રેક્ષા, લેશ્યાધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, સમતા અને અંતે આત્મ-સાક્ષાત્કાર, આત્મા અને શરીરના ભેદ જાણવા-ભેદજ્ઞાન માટે પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ થાય છે. પ્રેક્ષાધ્યાન એ ધર્માંધ્યાનની પ્રાયોગિક પદ્ધતિ છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા એ એનો પાયો છે. GJ
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy