SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ #Ge%e0%e0ગુરુ-ગ્રંથ મહિમા b ew#See પદ બંનેથી મુક્ત હોય છે. જેમ કે છે હૂ મર્દ શ્રી પાર્શ્વનાથાવ નમઃ, પદ્માવત્યે નમઃ વગેરે. મંત્રોમાં અક્ષરની સંખ્યા એકથી માંડીને સો કે તે ઉપરાંત પણ હોય છે. બીજાક્ષરો પ્રાય: એક અક્ષરના હોય છે. ‘પાગલ’, ‘હંસઃ' એ બે અક્ષરનો મંત્ર છે. નમ: એ ચાર અક્ષરનો મંત્ર છે. જે નમો સિદ્ધા એ છ અક્ષરનો મંત્ર છે. નમકન TTF fજસદર વદ ગિઢિા એ અઢાર અક્ષરનો મંત્ર છે અને નવકાર મંત્ર એ અડસઠ અક્ષરનો મંત્ર છે. વીસથી અધિક અક્ષરવાળા મંત્રને મંત્ર વિશારદો માલામંત્ર કહે છે. કેટલાક સોળથી અધિક અક્ષરવાળાને પણ માલામંત્ર GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરવાથી તેમને અપૂર્વ વિદ્યા પ્રાપ્ત થઈ હતી. શ્રી આર્ય અપૂરાચાર્ય તથા મહેન્દ્રમુનિને મંત્ર આરાધનાના પ્રતાપે અપૂર્વ યશ પ્રાપ્ત થયો હતો. જગતશેઠ વગેરેને મંત્રસાધનાના પ્રતાપે અઢળક લાભ થયાના દષ્ટાંતો ઈતિહાસ પ્રસિદ્ધ છે. તેથી મંત્રસાધના કે મંત્ર આરાધના મારણ, વશીકરણ કે ઉચ્ચાટન અર્થે જ થાય છે એવું માનવું ભૂલભરેલું છે. આપણા શાસ્ત્રકારોએ યોગક્રિયાની મુખ્ય સાધનામાં તપ પછીનું બીજું સ્થાન સ્વાધ્યાય એટલે કે મંત્ર જાપને આપ્યું છે અને આ મંત્રજાપ-મંત્ર સાધનામાં મનને સ્થિર કરવાની અદ્ભુત તાકાત રહેલી છે તેમ કહેવામાં આવ્યું છે. જૈન પરંપરામાં તપને કર્મની નિર્જરાનું સાધન માનવામાં આવ્યું છે અને સ્વાધ્યાયને તપનો જ એક ભાગ માનવામાં આવ્યો છે. એટલે સ્વાધ્યાય મંત્ર જાપ એ કર્મ નિર્જરાનું સાધન છે તે વાત સ્પષ્ટ થાય છે. તેથી જ તપના દરેક અનુષ્ઠાનમાં સ્વાધ્યાય કરવાનો આદેશ છે તથા અમુક મંત્રપદોની ગણના કરવાનું વિધાન છે. દાખલા તરીકે ઉપધાન તપમાં રોજ ની ૨૦ બાંધી નવકારવાળી ગણવાની હોય છે. એટલે ૨૦ x ૧૦૮ = ૨૧૬૦ નવકાર મંત્રનો જાપ પ્રતિદિન કરવાનો હોય છે. જેમણે મંત્રસાધનાથી પોતાના મનને સ્થિર અને શાંત કર્યું હોય તે સામાયિકની ક્રિયા સારી રીતે કરી શકે. પ્રતિક્રમણમાં આવતા કાયોત્સર્ગમાં બરાબર પાર ઉતરી શકે અને પ્રભુપૂજાદિ નિત્યક્રમમાં એકત્રિત થઈ શકે. તેથી આધ્યાત્મિક પ્રગતિ મંત્રસાધના અતિ આવશ્યક છે તેમ કહી શકાય. ‘મંત્ર' એટલે શું એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેનો ઉત્તર એ જ છે કે - મનનાત્ ત્રીવત્ત નિ મંત્ર • જે મનમાંથી એટલે કે મનની ભિન્ન ભિન્ન વૃત્તિથી બચાવે તે મંત્ર. તાત્પર્ય કે જેના વડે એકાગ્રતા સાધી શકાય તે જ મંત્ર કહેવાય. ‘નિતં મંત્ર’ એવી વ્યાખ્યા પણ કેટલા તંત્રગ્રંથોમાં જોવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એકાગ્ર થયેલું મનુષ્યનું મન એ જ મંત્ર છે. ગુપ્ત માધ્યને મંત્રffજીત મંત્રઃ એવી વ્યાખ્યા પણ મંત્રશાસ્ત્રમાં નજરે પડે છે. તેનો અર્થ એ છે કે મંત્રવિદો વડે ગુપ્ત રીતે કહેવાય છે, તે મંત્ર. બધા મંત્રોનું સ્વરૂપ એક સરખું હોતું નથી. કેટલાક મંત્રો બીજરૂપ હોય છે. જેમ કે ડું દૂ વ વગેરે. કેટલાક મંત્રો માત્ર પદરૂપ હોય છે, જેમ કે નમો હિંતા, નમો શિarvi, નો નિખાન નિયમા વગેરે તો કેટલાક મંત્રો બીજ અને -૨૫૬ મંત્રમાં જેમ જુદી જુદી કળા લગાડવાથી તેના કાર્યોમાં ફેર પડે છે તેમ મંત્રના છેડે જુદા જુદા પલ્લવો લગાડવાથી તેની શક્તિમાં ફેર પડે છે. દાખલા તરીકે જે મંત્રને છેડે ‘’ કે ‘’ પલ્લવ લાગે છે તે ઉગ્ર બને છે. જે મંત્રને છેડે ૪ઃ ૩ઃ પલ્લવ લાગે છે તે કોમળ બને છે. અને જે મંત્રને છેડે ‘નમઃ' કે “વાદા’ પલ્લવ લાગે છે તે શાંતિકારક છે. આ તફાવત મંત્રકારોએ ૫મંત્ર, સ્ત્રી મંત્ર અને નપુંસકતંત્રની સંજ્ઞાથી વ્યક્ત કર્યો છે. કયા મંત્રથી કેવું કાર્ય સિદ્ધ થાય એ તેની ફલશ્રુતિ જોવાથી જાણી શકાય. દાખલા તરીકે લઘુશાંતિના છેડે નીચેની ગાથાઓ આવે છે તે એની ફલશ્રુતિ છે. * આ શાંતિસ્તવન પૂર્વસૂરિઓએ ગુરુ આમ્નાયપૂર્વક પ્રગટ કરેલાં મંત્રપદોથી ગુંથાયેલું છે અને તે વિધિપુર:સરનું અનુષ્ઠાન કરનારાઓને તલિઆદી ભયોમાંથી મુક્ત કરનારું તથા ઉપદ્રવોને શાંત કરનારું છે. જે આ સ્તવન ભાવપૂર્વક ભણે છે, અન્યની પાસેથી ભાવપૂર્વક સાંભળે છે, તેમજ મંત્રયોગના નિયમ પ્રમાણે તેની ભાવના કરે છે, તે નિશ્ચય શાંતિપદને પામે છે. સૂરિશ્રી માનદેવ પણ શાંતિપદને પામો. લઘુશાંતિ એ મંત્રજાપ સ્તોત્ર છે અને તેની ફલશ્રુતિ સાથે સાથે જ બતાવી છે. મંત્રનો વિધિસર જપ કરવાથી એક પ્રકારની અદ્ભુત , અચિંત્ય શક્તિ ઉત્પન્ન થાય છે એટલે જ મંત્રનો આટલો મહિમા છે. જૈન ધર્મમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયની મંત્રસાધનાની પદ્ધતિમાં ઘણો ફેર જોવામાં આવે છે. એટલે જ મંત્રની સાધના જુદી જુદી રીતે થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં અને શુભચંદ્રાચાર્યે જ્ઞાનાર્ણવના ૨પ)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy