SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ છે. અને જીવનમાં દેખાડેલી નમ્રતાથી તે ગુણનું દર્શન થઈ શકે છે, જ્યારે વિયાવૃત્ય એ બાહ્યગુણ છે અને તે શરીરદ્વારા કરાતી સેવા મારફત તરત જ દેખી શકાય છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમતા આદિ ગુણ શુદ્ધ કરવા, ટકાવવા, વિકસાવવા સારૂં સ્વાધ્યાય છે. તેમાં વાચના, પૃચ્છના, પ્રતિપૂછના, ચિંતન, મનન, નિદિધ્યાસન આદિને સમાવેશ થાય છે. ઉત્તમ સંહનનવાળા જીવની એકજ વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન એ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આd અને રૌદ્ર એ બે ધ્યાન તજવા લાયક છે, કારણ કે તે સંસારવૃદ્ધિનાં કારણરૂપ છે. ધર્મ અને સુફલ એ બે ધ્યાન મેક્ષના હેતુ ભૂત છે. - ધર્મધ્યાનના ચાર પ્રકાર છે -(૧) આજ્ઞા, (૨) અપાય, (૩) વિપાક અને (૪) સંસ્થાન(લેકસ્વરુપ). વીતરાગની આજ્ઞાની વિચારણા એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિ રૂ૫ દુઃખનાં કારણોને વિચાર કરે એ અપાયરિચય ધર્મધ્યાન છે. કર્મના જુદા જુદા વિપાકપરિણામને વિચાર કરવો એ વિપાકવિચય-ધર્મધ્યાન છે. ચૌદરાજ લોકરૂપ જે સંસ્થાનકના સ્વરૂપને વિચાર એ લોકસ્વરૂપ ધર્મધ્યાન છે. શુક્લધ્યાનના ચાર પાયા-પ્રકાર છેઃ (૧) સપૃથ–સવિતર્ક સવિચાર, (૨) અપૃથફત્વ સવિર્તકસવિચાર. (૩) સૂમક્રિયાઅનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ. શુફલધ્યાનના પહેલા બે પાયા વિતર્ક-શ્રુત
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy