SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ ડ્રો પ્રવચન ૨૨૯ મું जे समुच्छिममणुस्सपंचिदियपयोगपरिणया ते ओरातियतयाकम्मासरीर जाव परिणया,एवं गब्भवतियावि अपज्जत्तगापि पज्जत्तगावि पवचेव, જય સીરાશિ માળિચાિ - અબડ પરિવ્રાજકની રૂપવિકવણ. શરીરેની પ્રાપ્તિ પણ નામ કમના ઉદયને આભારી છે. પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રમાંના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે. ભિન્ન ભિન્ન નામકર્મના ઉદયે સંસારી જેમાં અનેક ભિન્ન ભિન્ન ભેદ છે. પુદ્ગલેના ભેદથી જ છમાં જાતિને, ગતિને, કાયાને ભેદ પડે છે, અને એમાં વળી બબ્બે ભેદ જણાવ્યા છેઃ ૧. પર્યાપ્તા. અને ૨. અપર્યાતા. શક્તિ મેળવી લીધી હોય તેવા જીને પર્યાપ્તા કહેવામાં આવે છે, અને મેળવતા જેને અપર્યાપ્તા કહેવામાં આવે છે. એકેન્દ્રિય સૂમ બાદર જેને ઔદારિક શરીર હોય છે. માત્ર પર્યાપ્તા–વાયુકાયના જીવે વૈક્રિય શરીર કરે છે. વિકલેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા જે ત્રણ જ પ્રકારે પુદ્ગલે ગ્રહણ કરે છે. પંચેન્દ્રિય તિયામાં પર્યાપ્તા અપર્યાતા હોય, તેમાં પર્યાપ્તા ગર્ભજ જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભૂજ પરિસર્પ, અને ખેચરો, વૈક્રિય પુદ્ગલથી વૈક્રિય શરીર બનાવે છે. ગર્ભજ મનુષ્યની અશુચિમાં થનારા સંમૂચ્છિમ્ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે. અને તે ત્રણે શરીર પરિણમાવે છે. અને એ જીવે પોતાની શક્તિ પૂરી મેળવ્યા વિના જ મરી જાય છે. દારિક, તેજ અને કર્મણ, આ ત્રણ શરીર તે જીવોને પણ હોય છે. ગર્ભજ પર્યાપ્તા તથા અપર્યાતા મનુષ્ય પણ આ જ ત્રણ શરીર રચે છે, અને તેને યે પુદ્ગલે ગ્રહણ કરે છે. આ બધામાં નામકર્મને ઉદય જ કારણરૂપ છે. અને આ ત્રણ શરીરને આધાર તે તે નામકર્મને આભારી છે. મનુષ્યને અંગે બીજાં પણ બે શરીરે છે લબ્ધિ અને નામકર્મ. બંને હોય તે જ તેવાં પગલે ગ્રહણ કરી શરીરરૂપે પરિણાવી શકે. આંખ હોય અને અજવાળું હોય તે જ ચક્ષુથી રૂ૫ દેખાય. રૂપ જોવામાં
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy