SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૨૦ મું જેને માને છે. સંસારને તથા મુક્તિને ઓળખાવનાર ઈશ્વર છે, એ જૈનેને કબૂલ છે. ઈતરે ઈશ્વરને જીવાજીવ તમામ પદાર્થોના, સંસાર માત્રના બનાવનાર તરીકે માને છે. જેને કરે તે ભગવે તથા વાવે તે લણે” એ તે માને છે જ પણ એટલેથી નહિ અટકતાં આગળ વધીને કહે છે, કે કરવાથી વિરમે નહિ (ભલે તે ન પણ કરે) તે પણ ભગવે. એટલે પાપ કરવાની પ્રતિજ્ઞા લે નહિ, અને પ્રતિજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં, તે પણ ભલે પાપ ન કરે તે પણ તેઓ પાપકર્મ બાંધે છે, પાપ ભગવે છે. દશ પ્રાણ, છ પર્યાપ્તિ તમે પામ્યા છે. સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ છ અનાદિથી દશ પ્રાણુ પર્યાપ્તિ હજી પામ્યા નથી, છતાં તેઓ કયા પાપે રઝળે છે? સૂકમની સ્થિતિ તે એવી છે કે તેઓ નથી તો પિતે કેઈની હિંસા કરતા કે નથી તે પિતાની હિંસાનું કઈને કારણે રૂપ થતા. અજવાળાને કાચ રોકતું નથી. અજવાળાંને કાચને પ્રતિઘાત નથી. બાદર જેને કર્મ લગાડવામાં સૂક્રમ છે કારણરુપ થતા નથી. કેવલજ્ઞાનીને વાયુને સ્પર્શ થાય, ઝપાટાથી સ્પર્શ થાય તેથી જો હણાય, પણ પિતે હિંસાનું કારણ નથી. બાદરને સૂમને પરસ્પર પ્રત્યાઘાત નથી. અનાદિથી સૂકમનિગોદમાં સ્થિતિ ક્યા કારણે?, જે માત્ર “કરે તે ભગવે એમ મનાય તે અનાદિથી સૂફમનિગદમાં સ્થિતિ માની શકાશે નહિ. જે છે બહાર નીકળ્યા જ નથી, ત્યાં કંઈ કારણ માનવું તે પડશેને! એ જેને નથી હિંસા કરવાની, નથી મૃષા બોલવાનું, નથી ચોરી લૂંટ. કરવાનાં, નથી સ્ત્રીગમન, નથી પરિગ્રહ મેળવવાનાં, નથી કોધાદિ. એ છે વ્યવહારથી જ પર છે, છતાં ત્યાં સ્થિતિ કેમ?, કહે કે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી “વિરમે નહિ તે પણ પાપ ભગવે છે, આ જ સિદ્ધાત મિથ્યાત્વની સાથે અવિરતિને પણ કર્મબંધના કારણમાં ગણી. તે રાત્રિભોજન ન પણ કરે, છતાં ન કરવાનાં પચ્ચખાણ ન લે તે પણ પાપ કર્મ ચાલુ વળગ્યા કરે છે. પાપથી વિરતિ કરવાનું શાથી ન મળ્યું? એ પણ ચોક્કસ કર્મના ઉદયે જ માનવાનું. જેમ રળી મેટી થાય છે, ત્યાં તે મટી થાય એ વિચાર પણ નથી, તેમજ મેટી થાય તે કઈ પ્રયત્ન પણ નથી, છતાં લેવાયેલા રાકમાંના પગલે તેને પણ પિષણ આપે છે, તેમ કર્મના પુદ્ગલે અવિરતિને પણ પિષણ આપે છે, એનાસ્ટિની ટોળીમાં નામ
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy