SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી જગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે થાય. આ તે ઘરની વ્યક્તિઓમાં જ વિગ્રહ થાય એ શું યેગ્ય છે?, કહેવું પડશે કે નહિ. તરતના જન્મેલા બાળકને પુણ્યદય ધરણેને આકર્ષે છે પેલે ઘડીઆમાં સૂતેલું બાળક જન્મતાં જ અમ કરે છે. બાળકનો અમ એટલે સ્તનપાનને ત્યાગ !, આજકાલ ત૫ વગેરે ન કરવાના બચાવમાં બારમા ધણુ ધર્મરાજન !' એ સૂત્ર આગળ કરે છે, પણ આ બાળકે તે ધર્મની સેવામાં ઝુકાવી દીધું. શરીર ધર્મનું સાધન ખરૂં, શરીર સાચવવાનું ખરું, પણ ધ્યેય તે ધર્મનું ને!, પ્રથમ સાચવવાને ધર્મ, પછી સાચવવાનું શરીર. પ્રથમ રક્ષણીય ધર્મ કે ધર્મના સાધન રૂપ શરીર ? મેક્ષનાં સાધને સમ્યગદર્શનાદિ છે, તેનું કારણ જણાવતાં થકાં કહે છે કે “સાધન” અને “હેતુ” બે શબ્દો જણાવ્યા છે. સાધુના શરીરને મેક્ષનું સાધન ગણવામાં આવ્યું નથી, પણ મોક્ષના સાધનના હેત તરીકે તેને ધારણ કરવાનું રહે છે. જ્ઞાન એ સાધુનું શરીર, દર્શન એ સાધુનું શરીર, ચારિત્ર એ સાધુનું શરીર જડ શરીર જ્ઞાનાદિ સ્વરૂપ બને કેમ?, આ પ્રશ્ન થાય છે, અગર થઈ શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યજીને શિષ્ય પ્રશ્ન કરે છે. ભલભલા આત્મામાં જ્ઞાનાદિ આવવા મુશ્કેલ પડે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સાધુનું શરીર શી રીતે ?, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર–સ્વરૂપ આત્મા ક્યાં રહે છે ?, સમાધાન આપવામાં આવે છે, કે જ્ઞાનાદિ સ્વરૂપ-આત્મા શરીરમાં અધિષ્ઠાન કરી રહો છે, માટે જ્ઞાનાદિ ગુણેનું કારણ શરીર, તે પણ મેક્ષસાધનના મુદ્દા એ જ છે. નમો રતાળ એટલે?, શત્રુઓને હણનારાને નમસ્કાર થાઓ, વાઘે શત્રુને હયે, માટે વાઘને નમસ્કાર, એમ?, વસ્તુસ્વરૂપને સમજ્યા વિના જેએ મન કલ્પિત અર્થે લાગુ કરીને અનર્થ કરે, તેમને કેવા ગણવા?, કર્મરૂપી શત્રુને હણનારને નમસ્કાર છે, નહિ કે અન્ય મનુષ્યાદિ દુશ્મનને. એ જ રીતે અભણ્યનું ભક્ષણ કરવાના અને અપેયનું પાન કરવાના લુપીઓ, લેલુગવશાત્ “કારિયાઈ ધર્મસાધનામ ' કહેવા તૈયાર થાય છે.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy