SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી તે વાતની સમજણ નહીં હોવાથી બિચારે બહાર ગંધ લેવા દેડ્યા જ કરે છે. તેવી રીતે આ આત્મા પોતાના આત્મામાં જ ધર્મ રહેલ છે અને તે ધર્મ બહારની ક્રિયારૂપે નથી. જો કે બહારની ક્રિયા-આડંબર છેડી દેવા લાયક નથી પણ તે દ્વારાએ આત્મધર્મ પ્રગટ કરવાને છે. કસ્તુરીની જ ગંધ, વાયરાની ગંધ નહિં. તે વાયરા આવે ક્યારે ? જ્યારે વાયરે સન્મુખ હોય ત્યારે. નાભિમાં રહેલી ગંધની ખબર પણ શ્વાસ ન નીકળતા હોય તે તેને માલમ પડતું નથી. ગંધ કસ્તુરીની છતાં વાયરે ગંધ લાવવાનું મુખ્ય સાધન છે. ગંધ વાયરામાં નથી પણ કસ્તુરીમાં છે. છતાં જે વાયરે ન હોય એની ઉપરનું પડ સહેજ ખસેલું ન હોય તે કસ્તુરીની સુગંધ આવે નહિં. કસ્તુરીયા મૃગને પિતાને પણ પિતા પાસે રહેલી ગંધ હવા દ્વારા જ માલમ પડે, તેવી રીતે આપણું આત્મામાં રહેલ ધર્મ પણ આગમપ્રસિદ્ધ સાધનદ્વારા થતાં કર્મના ક્ષય, ઉપશમ કે પશમથી ધર્મ છે એવી ખબર આપણને પડી જાય છે. એડકાર કે વાછૂટથી અજીર્ણ અને છેલ્લાં કે ખણથી લેહીવિકાર થયા સમજાય છે. આપણા પેટમાં અજીર્ણ હોય પણ આપણે જાણતા નથી, પણ વાછૂટ થાય અને ઓડકાર આવે ત્યારે જ સમજીએ કે પેટમાં અજીર્ણ છે. અજીર્ણ વાયરાની વસ્તુ કે ઓડકારની ચીજ નથી. આપણામાં રહેલું અજીર્ણ તે આપણે છારીયા ડકાર દ્વારા સમજી શકીએ છીએ. લેહીને વિકાર આપણું શરીરમાં થયે છે. હવે તે વિકાર આપણા શરીરમાં છે, બહાર નથી; પણ સ્વતંત્ર લેહીના વિકારને જાણી શકતા નથી, પણ ફેલ્લીઓ અવારનવાર થાય ત્યારે લેહીને વિકાર થયે છે એમ સમજી શકીએ. શરીરની અંદરની પ્રકૃતિને ફેરફાર સાક્ષાત્ જાણી શકતા નથી, પણ કાર્ય દ્વારા જાણી શકીએ છીએ. અજીર્ણ અથવા ઓડકારના ચિન્હદ્વારા જાણી શકીએ તેવી રીતે ખુદ આપણા આત્મામાં થએલો ક્ષપશમ, ક્ષય કે ઉપશમ તે જાણવાની આપણી તાકાત નથી. આત્મામાં થએલા ગુણ, અવગુણ, મિથ્યાત્વને ઉદય કે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy