SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૬ 0 શ્રીમજીનો તત્ત્વબોધ-૪ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=૦ શ્રીમદ્જીએ ૨૧માં વર્ષમાં ગૃહસ્થવાસનો પ્રારંભ કર્યો – લગ્ન કર્યું. ભરયુવાન વય અને લગ્નનો પ્રસંગ હોય ત્યારે ચિત્ત-વૃત્તિઓ કેવી ઉલ્લાસિત હોય તે આપણને સૌને લક્ષમાં છે. આ મહાત્માને અંતરંગવૈરાગ્યની ધારા એવી તો બળવાન છે કે કોઈ ઉલ્લાસ વ્યક્ત થતો નથી, માત્ર પૂર્વકર્મનો ઉદય માની, પરસ્પરનાં ઋણમાંથી મુક્ત થવાનો નિર્ધાર થયો છે. પોતાના બનેવી શ્રી ચત્રભૂજભાઈને આ પ્રસંગે પત્ર લખીને પોતાની પત્નિ પ્રત્યે શી અપેક્ષા છે તે દર્શાવતા લખે છે : “આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી. છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસાર પ્રયોજનો દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાનાં છે અને આપે જાતે અનુકરણ કરવાનાં છે.” તેઓ પત્નિ) શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢીથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપ સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશો કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.” ઇakબે પ્રજ્ઞાબીજ •192 views
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy