SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરે તેનાં સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠધર્મ સ્થાપન કરીશ.” “આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું.” આ વચનો એક શુદ્ધ આત્મદશામાં આવીને વ્યક્ત થયા છે. “મારો ધર્મ” અર્થાતુ શુદ્ધ આત્મધર્મની વાત કરી છે અને તેને સમગ્ર સંસારમાં પ્રગટ કરવાની અભિલાષા રાખી છે. સાથે મહાવીરનો પ્રવર્તાવેલો મોક્ષમાર્ગ વિશેષ આલોકિત કરવાની પ્રતિજ્ઞા પણ કરવામાં આવી છે. આ અતિ અદૂભૂત દશાનું આપણને દર્શન કરાવે છે તે સમજવું ઘટે છે. જેમનો ઉપયોગ નિરંતર અતિ જાગૃત છે તેવા પુરુષનાં આ વચનો પ્રજ્ઞાવાન સાધક સિવાય કોણ સમજે ? આપણને આ વચનોથી વિકલ્પ થાય તો સમજવું કે આપણી યોગ્યતાની ખામી છે, જ્યારે યોગ્યતા આવશે ત્યારે જરૂર સમજાશે તેમ વિચારી આ વચનો આવા માનવજીવોએ ડીપોઝીટ કરી રાખવા જેવું છે, ઉતાવળે નિર્ણય કરીને જ્ઞાનીને અન્યાય ન કરી બેસીએ તેવો વિવેક રાખવાનું અનિવાર્ય માનવું. આ મહાજ્ઞાની પુરુષને પૂર્વનું બળવાન આરાધન છે તેનો ઉઘાડ થયો છે, ઉદય થયો છે તે વિના આવા વચનો લખવાનું સાહસ ભલભલા ગણધરો કે આચાર્યો પણ કરે નહીં. માટે મુમુક્ષુ વિવેક ચુકાય નહીં તેની પુરી કાળજી રાખે તે જરૂરી છે. આપણે આવા પરમજ્ઞાનીનો આશ્રય-યોગ મળ્યો છે તે પરમ સદ્ભાગ્ય માનવું રહ્યું. ડિજિત્ર પ્રશાબીજ 1 to 8
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy