SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જેની શ્રદ્ધા બાહ્ય આડંબરથી કે સમવસરણથી નથી. દેવલોકમાં કહ્યું કે, “હા. ભગવાન મહાવીર વિચરે છે એના શાસનમાં એવા શ્રાવકોને એવી શ્રાવિકાઓ છે. અને એમાંથી એક સુલસા શ્રાવિકા છે.” હવે અંબર નામના દેવને પરીક્ષા કરવાનું મન થયું. અંબર કહે કે, “બને નહીં. માણસ માત્ર લોભીયો છે. એને ચમત્કાર કે રિદ્ધિ-સિદ્ધિ બતાવશો એટલે એ તરત જ નમસ્કાર કરવાનો છે. અંબરે જાતજાતના ૩૫ લીધા. ઈન્દ્રમાયા નગરી સર્જી. અનેક પ્રકારનાં ચમત્કારિક રૂપ ધારણ કર્યો. સુલતા એને નમસ્કાર કરતી નથી. સુલસાને અંતરંગદશાનું દર્શન છે. એ કહે છે, “મારા ભગવાન આ નહીં.” છેલ્લે અંબરે પોતાની તમામ શક્તિથી સમવસરણની રચના કરી, અને બેસી ગયો. સુલસા કહે છે, “સર્વશ તો એક જ હોય, બે ન હોય.” સાક્ષાત્ ભગવાન થયો. પણ સુલતાનું અંતઃકરણ ભગવાનની દશાને ઓળખે છે. એના અંતર્થક્ષ ઓળખે છે. લોકો કહે છે, ચાલો અમે દેશના સાંભળવા જઈએ છીએ. તુલસી ના પાડે છે. “આ સમવસરણ છે, બધા જ લક્ષણ છે, દેવતાઓ આવ્યા છે, ચામર વીંઝાય છે, ત્રણ ગઢની રચના છે, અશોક વૃક્ષ છે, સિંહાસન છે, પાદપીઠની રચના છે.” સુલસા કહે છે, “સર્વજ્ઞ તો એક મહાવીર જ. એના સિવાય બીજા હોઈ શકે નહીં.” જૈન દર્શનમાં આવા કેટલાય ઉદાહરણ છે. એક શ્રાવિકાની સમ્યક્દર્શનની શુદ્ધતા કેટલી છે ! ક્યાંય ભરમાય નહીં. પ્રભાવ જોગથી ચકાચૌંધ થાય નહીં. પણ આ જીવ તો લોકસંજ્ઞાએ ચાલે છે. માણસ બહુ ભેગું થાય ત્યાં જવાનું કામ છે કે જ્યાં ત્યાગ-વૈરાગ્ય ને આત્માની વાત ચાલે ત્યાં જવાનું હોય ? જ્ઞાનીને અને દેવને ઓળખવાના. આ ઇચ્છા વિનાના દેવ, ગ્રંથિ વિનાના ગુરુ, પંચમહાવ્રતના ધારક, અપરિગ્રહી ગુર, કંચન-કામિનીના ત્યાગી એવા ગુર. જૈન દર્શન, સાચા મુક્તિના માર્ગે જાવું હશે તો સાચા દેવ-ગુર અને ધર્મના તત્ત્વને ઓળખવું પડશે. એની ઓળખાણ નહીં હોય, અને બાહ્ય પ્રભાવમાં ખેંચાઈ જશું તો એમાં જીવનું કલ્યાણ નથી. જીવને મુક્તિનો માર્ગ નહીં મળે. વિતરાગ કથીત ધર્મની પ્રરૂપણા નહીં થાય. વર્ણન સમજે જિનનું. આને મતાર્થીને) ગુરનું ઓળખાણ કેવું ? તો કહે બાહ્યત્યાગ. દેવનું ઓળખાણ કેવું ? તો કહે ચમત્કાર અને વિભૂતિ. આ બીજું લક્ષણ. આમાં એની બુદ્ધિને રોકીને બેઠો છે. ભગવાન મતાર્થીનું ઓળખાણ આપે છે કે આપણે જાણે-અજાણ્યે ભૂલ કરતા નથી ને ? જો આવા દોષ હોય તો આપણે અંર્તદષ્ટિ કરીને દોષનું નિવારણ કરવું છે. પરના દોષ નથી જોવાના. પોતાના જોવાના. ભગવાન કહે છે કે તું જે મોક્ષમાર્ગ માનીને બેઠો છે એમાં તું મતાર્થીની કક્ષામાં આવે છે ? કે મુમુક્ષની કક્ષામાં આવે છે ? ભગવાને શાસ્ત્ર લખ્યું મુક્તિના માર્ગનું. આત્મસિદ્ધિ શાસ્ત્ર - મોક્ષ માર્ગ બતાવવા લખ્યું. પણ એમાં પહેલાં દસ ગાથામાં મતાર્થીના લક્ષણ કહ્યાં. કારણ કે તે લક્ષણ આપણામાં નથી ને ? તે જોવાનું છે. અદ્ભુત કૃપા જ્ઞાની પુરુષોની છે. સંતોની કૃપા અને કરુણા. અમાપ હોય છે. આપણી ભૂમિકાને શુદ્ધ કરવાની ખેવના એ સંતો કરે છે કે આની ભૂમિકા શુદ્ધ છે ? આ બીજ વાવીએ એ ઉગે છે ? ઉગી શકે એવી સંભાવના છે ? ક્ષેત્ર વિશુદ્ધિ વિના પુષ્પરાવર્ત મેઘ વરસે તો પણ કામનો શું? પ્રત્યક્ષ સદ્દગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. (૨૬) - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 99 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy