SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મોઢે છે. એમ સામાન્ય કરી નાંખી ભુંડુ કર્યું છે. ગ્રંથ અર્થથી ભરપુર છે તે કોણે જાણ્યું છે ? ગાથા ના ૧૧૫-૧૧૬ એનો વિચાર કર્યો કર્યો છે ? વળી કૃપાળુદેવે કહ્યું છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” (૧૧૭) આ ‘કર વિચાર તો પામ” આ લબ્ધિ વાક્ય છે. અત્યારે મુખપાઠ કરવાની આજ્ઞા આપી છે કે જીવ જિજ્ઞાસુ થાય. અને જો જિજ્ઞાસુ થાય તો માર્ગ ક્યાંય મળે એમ નથી તો પાછો અટવાઈ જશે. એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે જિજ્ઞાસાને વધારો. ખામી દૂર કરો. જો જીવ જિજ્ઞાસુ થાય તો કામ થાય એમ છે. જીવે મને “આત્મસિદ્ધિ મોઢે છે.” એમ કરીને સામાન્ય કરી નાખ્યું છે. પણ એના ભરપૂર ગહન અર્થ ઉપર લક્ષ છે ? એના ભાવ પકડાય છે ? રોજે રોજ સ્વાધ્યાય કરતાં ભાવ વધતાં જાય છે ? એક એક ગાથાનાં નવાંનવાં અર્થ, નવાં-નવાં ભાવ, નવાં રહસ્યો(આશય) પકડાય છે ? પહેલાં પરમતત્ત્વનો નિશ્ચય કરો કે કૃપાળુદેવે કહેલી આત્મસિદ્ધિમાં પરમ તત્ત્વ સમાયેલું છે. અને પછી એના માહાભ્યથી રોજ એની આરાધના કરતાં એ યથાર્થ સ્વરૂપ, જેવું છે તેવું - મારા હૃદયને વિશે પ્રકાશ કરો. બસ આ જ ભાવના કરવાની છે. વીતરાગનો કહેલો ધર્મ - ભલે સમજાતો નથી, જીવની યોગ્યતા નથી, સત્પષનો યોગ નથી તો પણ - એના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. એમ આત્મસિદ્ધિનું માહાભ્ય વેદાય. એમ આત્મસિદ્ધિની આરાધના થાય. એટલે ફક્ત મોઢે નથી કરવાની, એના અર્થમાં જવાનું છે. જે લોકોત્તર દેવ તે નમું લૌકિકથી.” એમ થયું છે. લોકોત્તર દેવને નમસ્કાર લૌકિકથી ન કરાય. લોકોત્તર દેવને નમસ્કાર લોકોત્તરથી જ કરાય. ભાવથી કરાય. આત્મસમર્પણથી કરાય. પરમ વિનયથી કરાય. ‘એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ.’ લોકોત્તર વાત પકડાવી જોઈએ. કૃપાળુદેવે આ લોકોત્તરની વાત આત્મસિદ્ધિની ચાર ગાથામાં મુકી દીધી છે. પોતાને શાસ્ત્રજ્ઞ માનનારાં હજી લૌકિકમાં અટકાયેલા છે. ‘ગુરુ રહ્યાં છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વીતરાગ.” આત્મસિદ્ધિ અદ્ભુત છે. વીતરાગ દર્શનનાં પરમ રહસ્યો એમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. કુંડામાં રત્ન છે. ગમે ત્યારે ભાવ થાય અને ભક્તિથી કોઈપણ ગાથા બોલીને એના અર્થમાં ઊંડો ઊતરી જા તો રત્ન જ પ્રાપ્ત થશે. “અલૌકિક ભાવે નમવું જોઈએ. અલૌકિક ભાવે જોવું જોઈએ. તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય ?” જીવે સામાન્ય કરી નાખ્યું છે. બધી જ પૂજા, બધી જ ભક્તિ, બધી જ ક્રિયા કરવી. પણ એમાં લૌકિક વ્યવહાર ન આવવો જોઈએ. સૌરાષ્ટ્રની અંદર કાનજી સ્વામી - એક અદ્ભુત સંત થયા. એમણે આત્મસિદ્ધિ માટે કૃપાળુદેવ વિશે લખ્યું છે, “ધન્ય છે તેમને. આવા કરાળકાળમાં અનંત ભવનો છેડો વણીને જે એકાવતારી થયા.” આવા દુઃષમકાળમાં જ્યારે ભગવાનનો માર્ગ ચારે બાજુથી લુપ્ત થઈ ગયો છે, એવા કાળમાં, એકાવનારી પણું પ્રાપ્ત કરી લીધું. જગતને કહ્યું, ‘ડંકાની ચોટ ઉપર’ - ‘તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશરે.” - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 35 [E]=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy