SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે આપણે સાચો પરમાર્થ હજુ સમજ્યા નથી. પરમાર્થની દૃષ્ટિ હજુ આપણા જીવનમાં આવી નથી. અનેક પ્રકારના આગ્રહથી આપણે ઘેરાયેલા છીએ. કૃપાળુદેવ લખે છે કે, “જે મતાગ્રહે આ જીવ ઘેરાયેલો છે તે મતાગ્રહ જ એનું આવરણ છે. ક્યારે પણ આત્માની, કે પરમાર્થની કે ધર્મની વાત આવે ત્યારે આપણા reaction જોવાના. આમ કરાય ને આમ ન કરાય. આમ થાય ને આમ ન થાય. આપણે સ્યાદવાદ જાણતા નથી. આપણી પાસે અનેકાંત દૃષ્ટિ નથી. વીતરાગ માર્ગનું દર્શનનું) હાર્દ આપણે જાણતા નથી. મહત્ત્વ ક્યાં આપવાનું છે ? પણ દરેક જીવને પોતાની માન્યતા છે. પાછું તે માન્યતાનો આગ્રહ પણ છે. દરેકને પોતાનો અભિપ્રાય છે અને અભિપ્રાયનો પણ આગ્રહ છે. આપણી પાસે પરમાર્થ દૃષ્ટિ જ નથી. “મતમાં મુંઝાયેલો આ જીવ “સતુ’ની ઉપલબ્ધિ કરી શકતો નથી. એ જીવ “મતથી મુક્ત થાય તો જ સત્યની સમીપ જાય. ‘મત થી મોકળો થયા સિવાય જીવ ધર્મકરણી કરે ત્યારે અશ્રદ્ધાના ભાવથી કરે જેથી પરિણામ વિપરીત જ આવે. કારણ કે એની પરિણતિ, એના અધ્યવસાય બદલાયા નથી. એ જીવ એમ નથી સમજતો કે હું સર્વજ્ઞ નથી. મારા આગ્રહ ખોટાં પણ હોઈ શકે. બીજાનાં આગ્રહ સાચાં પણ હોઈ શકે. આપણે સમજવાનું એ છે કે આપણે ક્યાં ક્યાં રોકાઈ જઈએ છીએ ? કૃપાળુદેવે કહ્યું છે, “રોકે જીવ સ્વછંદ તો પામે અવશય મોક્ષ.” જીવને આ સ્વછંદ રોકવાનો છે. યોગ્યતા વિના - અધિકારીપણા વિના જીવને તેનું માહાભ્ય સમજાતું નથી. અલૌકિક ભાવે અને અલૌકિક દૃષ્ટિએ જોવું જોઈએ તે જોવાનું નથી. આ લૌકિક ભાવ નથી. અલૌકિક ભાવ લાવવાનો છે. આ પુરુષ અલૌકિક છે. લોકોત્તર પુરુષે આની પ્રરૂપણા કરી છે. આમાં અલૌકિક માર્ગનું નિરૂપણ કર્યું છે. અને આ માર્ગને પ્રરૂપનારા અનંત મહાજ્ઞાની, તીર્થકર, સર્વજ્ઞ પરમાત્માઓ બધા અલૌકિક આત્માઓ હતા. કપાળદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિદ્ધિ આપી હતી. બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સોભાગભાઈએ એનું માહાસ્ય જાણ્યું હતું. ‘આત્મા’ આમાં આપ્યો છે એમ એને સમજાયું હતું. અલૌકિક માહા... તેની યોગ્યતા વિના લાગતું નથી. ૫૦૦-૫૦૦ ગાથાઓનો સ્વાધ્યાય કરે તેના કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે. ઝવેરીને જ નંગની કિંમત હોય છે. બાળકને તેની કિંમત હોય નહિ. જીવને પહેલાં તો યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. જીવે પહેલાં અધિકારી થવાનું છે. એને જિજ્ઞાસા તો જાગવી જોઈએ કે મારે “આત્મસિદ્ધિ સમજવી છે. મારે જાણવું છે કે મારા ભગવાને ‘આત્મસિદ્ધિમાં શું કહ્યું છે ? એ મને મળવી જ જોઈએ. આના માહાભ્યનું વદન થવું જોઈએ. આ ઉત્સવ એનું નિમિત્ત બનવું જોઈએ. અને લક્ષ એ જોઈએ કે આ આત્મસિદ્ધિમાં રહેલો આત્મા મારે જાણવો છે. આજે જે હોય એ બધાને મુખપાઠ કરવાની આજ્ઞા મળી છે. કારણ, કાળ કઠિન છે. યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વધારો. ખામી દૂર કરો. જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી થાય તો એક ગાથામાં પણ ચમત્કાર છે. તેનું માહાસ્ય સમજાય તો અલૌકિક ભાવ આવે. અહો ! આ તો મને - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 34 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy