SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનીના અનાસકતયોગ-ત્રિકાળ વૈરાગ્ય (૫૩૩) કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિ:સાર મિથ્યા વિષયભોગમાં આત્મબુદ્ધિના સમારેાપ કરવા મિથ્યા છે-ખાટા છે; તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએદુરાશાએ દોડવુ તે પણ મિથ્યા છે, કારણ કે જે વસ્તુ પેાતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કાઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિઃસાર-મિથ્યા હેાવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યાં વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલ્લધીને સાંસરા ચાલ્યા જતાં પણ ડૂબાતુ નથી, એટલે વિષયેાનું આવું મૃગજલ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ-અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતા નથી પણ અવશ્ય ભોગ્ય ક કવચિત્ આવી પડે તાપણ તેની મધ્યેથી સાંસા બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે. અત્રે લોગાને ‘ મિથ્યા ' કહ્યા છે, તેને અ કેઈ સ્વરૂપાસ્તિત્વ નહાવુ એવા કરે છે તેમ નથી. પણ અત્રે મિથ્યા' શબ્દને અર્થ સ્વરૂપાસ્તિત્વ હાવા છતાં પરમાથી નિઃસાર એવા સ્પષ્ટ કર્યાં છે. જેમ મૃગજલમાં કંઇ જલરૂપ જ્ઞાનીના અના- સાર નથી, અને તેની પાછળ દોડવાથી કાંઇ વળતુ નથી; તેમ અનાત્મ સક્ત ચેાગ સ્વરૂપ ભોગેામાં કઈ આત્મતત્ત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુધાવનથી–દેાડવાથી આત્માનુ કાંઈ વળતું નથી. અથવા ‘ મિથ્યા’ એટલે નિહ. હેાવાપણારૂપ અસણું નહિ, પણ ખાટાપણારૂપ અસપણું. કારણ કે આત્મતત્ત્વની અપેક્ષાએ પરવસ્તુરૂપ ભોગ અસત્ અર્થાત્ ખાટા છે, વિપર્યાસરૂપ છે. આત્મતત્ત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિ, છતાં તેવી અસત્-ખાટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઇષ્ટાનિષ્ટ ભાવથી મેહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમેાહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તેા તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઇષ્ટાનિષ્ટ ભાવનાના ત્યાગ કરી મુંઝાતા નથી ને અંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જે ભોગેાને સ્વરૂપથી માયાજલ જેવા નિસાર ને ખાટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કમ`ના–પ્રારબ્ધના ચેાગથી આક્ષિપ્ત-ખેચાઈને આવી પડેલા ભોગે। ભોગવતાં છતાં પણ અસંગ હાઇ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપકની મધ્યે પણ કદી ખરડાતા નથી–લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, માહમલથી અસ્પશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ગીતામાં કહેલે અનાસક્ત ચાગ છે. (6 ભોગ પક ત્યજી ઉપર બેઠા, પ’કજ પરે જે ન્યારા; સિંહુ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા, ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે. ”—સા, ત્ર. ગા. ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિર'તર ભાવે છે કે-આ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy