SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ (૩) આ રોગનું ફલ શુદ્ધ છે કે કેમ? અથત મોક્ષરૂપ શુદ્ધ ફલનું “સ” સ્વરૂપ શું છે? અને આ યંગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સફલ સમર્પે એ છે કે કેમ ? આ ચોક્સી કરવી જોઈએ. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની યોગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઈએ. કારણકે સત્ સાધ્ય લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સસિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત એવા આત્મસ્વરૂપનો અવંચક યોગ–ચગાવંચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત્ અવંચક ગકિયા-કિયાવંચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત અવંચક ફલ-ફેલાવંચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમાર્થ ફલિત થાય છે કે ગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગષવા ગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મોક્ષહેતુરૂપ થઈ પડે છે કે કેમ? ઈષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિંદુ પ્રત્યે લઈ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના બાણની પેઠે, આ હારા યેગ-કિયા-ફલ વંચક તે નથી થઈ પડતા ને ? અવંચક જ રહે છે ને ? આમ ગોચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને ફલશુદ્ધિથી યુક્ત એવો યોગ હોય તે તેનું જ યથાર્થ મોક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તો પછી અત્રે યોગમાર્ગમાં કોઈ પણ દર્શનના યોગશાસ્ત્રને ભેદ રહેતું નથી. કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સસાધનરૂપ શમપરાયણ મોક્ષમાર્ગને અભેદ છે, અને સાધનાના સફળરૂપ શુદ્ધ આત્મસિદ્ધિને-મોક્ષને અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શમનિષ્ઠ સર્વ મુમુક્ષુઓને પણ અભેદ છે. નામાદિને ભેદ ભલે હે, પણ તેથી કાંઈ ગના પરમાર્થમાં ભેદ પડતો નથી. અને આમ સત એવા સાધ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જ્યાં વસે છે એ યુગ જ સત્ યોગ-વાસ્તવિક યોગ છે; અને તેમાં જ “મોક્ષેખ ચોકનાર્ યોજા:” એવું મેક્ષહેતુપણુરૂપ વેગનું સર્વદર્શનસંમત લક્ષણ સમ્યફપણે ઘટે છે. આવી સમ્યફ શુદ્ધિથી આ યક્ત ગલક્ષણ જ્યાં ઘટે એ જ ગની ખરેખરી કસોટી (Touch-stone) છે, અને જેની બીજી વ્યાખ્યાઓ પણ આ મુખ્ય વ્યાખ્યાની અંગભૂત હોઈ તેની કસોટી પણ આ જ છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી હવે આ બીજી વ્યાખ્યાઓની પણ કંઈક સમીક્ષા કરીએ. ૩. વિવિધ વ્યાખ્યાઓની મીમાંસા અને સમન્વય. (૧) સર્વ પરિશુદ્ધ ધર્મ વ્યાપાર તે રોગ મક્ષ સાથે યોજનને લીધે “પરિશુદ્ધ એ સર્વ ધર્મવ્યાપાર તે ગ”—એમ શ્રી ગવિશિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ ગની વ્યાખ્યા કરી છે, તેને ફલિતાર્થ પણ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy