SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૨. નાગકેશર, ૧ ટંક, લવિંગ ૨ ટંક, એલચી ૪ ટંક, મરી ૮ ટંક, પીપલ ૧૬ ટંક, સુંઠ ૩ર ટંકે, અસગંધ ૩૨ ટેક, ૧૨૮ ટૂંક સાકર, ચૂર્ણ કરી ૧ ટંક ખાવાથી વાયુ વિકાર મટી સુધા પ્રદીપ્ત થાય છે. ૧૩. હરડે અજા મૂત્રમાં ૩ દિવસ ભીંજવવી, ૩ દિવસ ગોમૂત્રમાં, ૩ દિવસ કાંજીમાં, ૩ દિવસ છાશમાં, પછી ફાડીને ગોઠલી ફેકી તેમાં હિંગ્વાષ્ટક ભરી લીંબુની ૭ ભાવના દેવી. પછી ૧-૧ નિત્ય ખાવાથી સુધા પ્રદીપ્ત થશે. આ હરડેમાં સિંગ, પંચલૂણ, જવખાર, અજમો, જીરું, સારું મીઠું, સાજી પણ ભરી શકાય છે. ગુણ ઉપર પ્રમાણે છે. સમુદ્રાષ્ટકનો ઉપયોગ પણ કરવો હિતકારી છે. ૧૪. પંચદાણુ–મેથી, અસા, સુઆ, અજમો અને કલું જ ૪-૪ રતિ ચૂર્ણ કરી, આપવાથી ઉદરવ્યથા મટે છે. ૧૫. ગમે એવું પેટ દુઃખતું હોય ત્યારે બે રતિ મીણની ગોળી બનાવી ગરમ પાણી અથવા ચામાં પાવાથી તત્કાલ દર્દ સમાપ્ત થાય છે, નિર્ભય અને પ્રભાવશાલી પ્રયોગ છે. વાયુ-અધિકાર ૧. મલ કેહલાનાં રસમાં દલકા યંત્રથી શુદ્ધ કરવો, એક ટંક મલ્લ, કા, કેશર, મસ્તીંગ ગૂંદ, ૧૦–૧૦ ટંક, નાગરવેલના પાનના રસમાં કાળાં મરી બરોબર ગેળિઓ બનાવવી, પાનના બીડામાં ખવરાવવી, સવારે અને સાંજે ૧-૧ ગોલી લેવી, તમાત વાયુ માટે આ સુંદર અને ઉપકારી છે, ઘી દૂધ સારા પ્રમાણમાં ખાવું પીવું. ૨. સરણ અને આદુ - શેર, લસણ વા શેર, ત્રણેને ખાનણીમાં નાંખી ફરી છૂંદે કરે, પછી સંધવ, સંચલ, સાજી, જૌખાર, ૫-૫ તોલા શૃંદામાં મિશ્રિત કરે, રવિવારે એક કેરું ચીકણું વાસણ લઈ એમાં ભરી રાખે. ઉપર છો શેર મીઠું તેલ નાખી મુખમુદ્રા બરાબર બંદ કરી એકાન્ત સ્થાને એક અઠવાડિયા લગી મૂકી રાખે. અનન્તર વાયુ પીડા વાળાને ૨-૩ તોલા નિત્ય ખવડાવે, સામાન્ય વ્યક્તિ તે છે તે આપવો, ૧૪-૨૧-૪૯ દિવસમાં સર્વ વાયુ મટશે, અજમુંદા છે. ૩. સંખ્યા ૧ પ્રમાણે શોધેલ મલ્લ તોલે ૧, સફેદ કા તોલા ૧ વંશલોચન તેલ ૧, નાગરવેલના પાનના રસમાં ગોળિઓ મરી પ્રમણ બનાવવી. ૧-૧ સવાર સાંજ આપવાથી વાયુ મટે છે, ગરમ ઋતુમાં સંભાળીને ઉપચાર કરવો, પથ્યમાં ચણાની રોટલી લૂખી જ ખાવી. ન ભાવે તે સ્વ૫ ઘી ચોપડવું. ૪. સુરિજનાનું મૂલ ૧ માસા, કાળા મરી ૧ માસા. બન્ને પાણીથી લેવાથી વાયુ મટે છે. ૫. એરંડિયાનું મૂલ સાત દિવસ ગૌતકુમાં પીવું વાયુ મટે છે. ૬. કણગચ ટંક ૨ ગરમ પાણીથી પીવાથી વાયુ મટે છે. ૧. આવા પ્રગો અનુભવી ચિકિત્સકની દેખરેખમાં જ કરવા જોઈએ. અપક્વ મૃત્યુ નોતરે છે, પરિપક્વ મલ્લ વાયુ રોગો માટે અમૃત છે. શુદ્ધ કરવાના બીજા પણ ઘણું પ્રયોગો છે, તે બીજું ભાગમાં પ્રકટ થશે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy