SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભત પ્રગ ૭. અરીઠાની છાલ પાણીથી ઘસી નાસ આપવી. ૮. કેશર, પારસ પીપલ બીજ, બદામ સ્વલ્પ ધૃત સાથે ત્રણ દિવસ નાસ દેવી. પીસ મટશે. ૯. આંબા, જાંબૂ અને કુઠ ગેટલી ત્રણે ઘસી નાસ દેવી. ૧૦. પાઢ, બન્ને હળદર, મોરનાં હાડકાં, પીપલ, દાંતણી, જયપત્રી ધતૂરાનો રસ, બધાંયે ઔષધ સમ ભાગે લેવાં. તેલમાં ઉકાળી, તેલની નાસ લેવી, ગંભીર પીનસ પણ આ ઔષધિથી નષ્ટ થશે. ૧૧. કાળા મરી, વિસખપરું, કેશર, નાગકેશર ૨-૨ ટંક, સરસિયાનાં બીજ ૪ ક. વાટી પાણીથી નાસ લેવી. પીનસ મટશે. અપરમાર મૃગી ૧. મૌલશ્રીના બીજ, અરીઠાની છાલ, હીંગટ–મીંગી ચણોઠીની દાળ [ શુદ્ધ ] વચ, રામભાગ પીસી પાણીથી નાસ લેવી. અપસ્માર જાય. ૨. હીગેટની મીગી, પીપલ, કિરાયતો, નેપાલા, ટેક. ૨-૨, વાટીને તૈયાર રાખે. પછી કાગળની ભંગડી બનાવી. નાસ દિયે, ૨-૩ દિવસ, અથવા તો જ્યારે અપસ્મારનું આક્રમણ થાય ત્યારે નાસ દેવી, આ વખતે શુદ્ધ આમલસારાં ગંધકની બે–ચાર વાર નાસ દેવાથી પણ અપસ્મારને બિહાર આવી જાય છે. મૃગી મટે છે. ૭. કૂતરાંની વિષ્ટ ગાના' મૂત્રમાં નાસ આપવાથી પણ મૃગીમાં લાભ થાય છે. ૪. નિંદાલની નાસ પણ હિતાવહ છે. ૫. બાવળની છાલને રસ ચર આવ્યા બાદ નાકમાં નાંખવામાં આવવાથી લાભ થાય છે. ૬કાળા સંપની કંચુકી, હાથી દાંતને મૂકે અને ગભવિષ્ટા પીનસ અને મૃગી પર સારું કામ કરે છે. ૭. રવિવારે રાસભમૂત્રમાં ૭ સમુદ્રફળ નાંખી ગાય રૂ બકરી જ્યાં વિશેષ બેસતાં હોય ત્યાં ગાડી - દિયે. આવતા રવિવારે કાઢી મુકાવી. ચૂર્ણ કરી નાસ વાચ્છી પણ અપસ્માર મટે છે. ૮. રવિવારે મૂળ નક્ષત્રમાં મળેલ સિંહના લીંડામાંથી હાડકાં લઈ દેશમાં નાંખી વગાડે અથવા તો ગળામાં હાડકું બાંધવાથી પણ અપસ્મારમાં ક્ષય થાય છે, ૯. કારેલી મૂળના રસમાં વચનું ચૂર્ણ આપવું પણ સરું છે. ૧૦. ધતૂરામાં પીપલ, પહેલાંમાં કાળાં મરી, લૂંબડાંમાં સુંઠ અને કડવાં લૂંબડામાં ઘેડાવચ ભરી બંધ કરી ૬ મહિના સુધી ચૂલાના ઉપરના ભાગમાં રાખે, પછી ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખે. અપસ્મારનાં આક્રમણ સમયે નાસ આપવાથી અપસ્મારનો કીડો તત્કાળ બહાર આવી જાય છે. અનુભૂત છે. ૧૧. શનિવારે નિમંત્રી રવિવારે સવારે અપામાર્ગ પંચાંગ લાવી સૂકવી રાખ કરવી. પછી એમાં કાળાં મરી મેળવી નાસ આપવાથી અપરમારમાં લાભ થાય છે. ૧૨. ગજમદમાં મરી ઘસી નાસ આપવાથી પણ લાભ થાય છે. ૧૩. કાળાં મરી અને ગજમદમાં એક કપડું સારી રીતે ભીંજવી. સુકાવી એને ઘુમાડે આપવાથી પણ મૃગીવાળાને સારે લાભ થાય છે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy