SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૧. તૂઅર, હીંગ, સુંઠ, ગૌમૂત્ર, લીંબૂનો રસ અને સરસિયું તેલ પચાવી કાનમાં ટીપાં નાખે. કર્ણ પીડા મટે. ૧૨. વગર ઠારેલ ચૂનાની બાફ કાનમાં લેવાય તે કણ ગુંજન મટે. ૧૩. કપાસિયા બાફીને કાને બાંધવાથી પણ કણ પીડા મટે છે. ૧૪. વણાના પાન દૂધમાં ઉકાળી બાંધવાથી પણ કણ ભૂલે જાય છે. ૧૫. ઈન્દ્રવા@ીની જડનો રસ તેલમાં પચાવી કાને નાંખે તો બધિરત્વમાં લાભ થાય છે. ૧૬. કાનની ફેર અસાલિ વાટી લેપ કરે તો ચસકા મટે. ૧૭. સુંઠ, દેવદાસ, સિંધવ ૫-૫ અંક, સુરિ જણાની જડ નો રસ ૬ શેર, તલના ૧ શેર તેલમાં નાખી ઉકાળી એના ટપકાં કાનમાં નાખવાથી તમામ કણ રોગે ઉપશમે છે. ૧૮. આંબા અને જાંબૂના પાંદડાનો રસ કાનમાં નાંખવાથી રોગપશાન્તિ થાય છે. ૧૯. ફુલહુલનો રસ કાનમાં નાંખવાથી પ્રવાહ રોકાય છે. ૨૦. આકડાનાં પાકા પાન ૧૨ લેવાં. નાના કટકા કરી પા શેર ગાયના ઘીમાં તળવાં. પછી કાઢીને ઘીમાં કેશર, ઇન્દ્રવારુણીનું મૂળ. લવિંગ પી-ટંક નાંખવાં, ગરમ કરી ઘી કાનમાં નાંખવાથી બધિરત્વ અને પ્રવાહમાં સારો લાભ થાય છે. ૨૧. લીબડાનાં પાન વાટી વડો કરવો, તેલમાં તળવો. એ તેલના ટીપાં કાનમાં નાંખવાથી પ્રવાહ બંધ થશે. ૨૨. સપની કાંચલી ઘીમાં ઉકાળી ઘીનાં ટીપાં કાનમાં નાખવાથી બહેરાપણું મટે છે. ૨૨. વત્સનામાં અને અફીણ ઘસી કાન બહાર લેપ કરવાથી ચસકા મટે છે, અને તે ઉપર શેક કરવો. ૨૪. કુઠ, વચ, બ્રહ્માંડીને રસ, લીંબડાના પાન, સુંઠ, હળદર, પુષ્કરમૂલે સર્વ સમભાગે લઈ કવાથ કરે. પછી વીથ સમ ગૌધૃત લેવું. ક્વાથ એમાં નાંખી ફરી ઉકાળવું. ધૃતાવશેષ રહે ત્યારે ઉતારવું. કાને નાંખવાથી ચળ, નનામી દુ:ખતો વગેરે મટે છે. ૨૫. કારેલીનો રસ, કાળાં મરી સમભાગે લઈ કડવા તેલમાં ઉકાળવાં, પછી કાનમાંઝીપાં નાખવાથી કાન સડો અટકે છે. નાસૂર-ઉપચાર ૧. ટંકણખાર, કપાસિયાની માંગી ૧૦-૧૦ ટંક, કાળાં મરી ૨ ટંક, ગાયના ઘીમાં મલમ કરી અદશ્ય ચાંદી પર લગાડવાથી અદીઠ, પાઠો, નાસૂર, બિમચી, આદિ રોગ જાય છે. ૨. કાંગસી નરમૂત્રમાં ઘસી નાસર પર લગાડે. અને બચેલે ઝૂચ નાસુર પર બાંધી દેવો. ૨૧ દિવસ આ પ્રયોગ કરવાથી આશાતીત લાભાનુભૂતિ થાય છે. ૩. કાળાં મરી, કેરની કૃપલ સમભાગ લઈ પાણીથી વાટી વત્તિકા દ્વારા નાસુરમાં પહોંચાડવા પ્રયત્ન કરવો. સવારની વાટ સાંજે બદલી નાંખવી. ૨૧ દિવસ આ પ્રયોગ કરવો, સારું લાગે તો લંબાવ. ૪. સપની કાંચલીની રાખ ગાયના ઘીમાં મેળવી નાસુરમાં ભરવી. લાભ થશે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy