SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો નકસીર-નાકડી ઉપચાર ૧. દાડમના પાનના રસમાં હરડે ઘસી નાકમાં ટીપાં નાંખવાં. ૨. દાડમના પુષ્પ, સાંઠાને રસ, પટેલ ત્રણેને બકરીના દૂધ સાથે ઉકાળીને પાવો. દૂધ ૧૦ તોલા અને રસ ૧-૧ તલા. આનાથી નાકેડી સદાને માટે બંધ થાય છે.' ૩. દર્ભની જડ, ધોની જડ, આંબલા, સાઠી ચેખા સમ ભાગ લઈ પાણી સાથે વાટી માથે લેપ કરો. નાકેડી મટે. ૪. અરડૂસાનો રસ, પીપર, બકરીના દૂધ સાથે નાસ આપવી. ગમે તેવું લેહી નાકમાંથી વહેતું હશે તો તત્કાલ બંધ થશે. ૫. અરડૂસો, પીપર, નિવાત ૧-૧ માસા લઈ મધ સાથે મેળવીને ખાવું. આનાથી મુખ અને નાકનું - લેહી બંધ થશે. ૬. ડાબા તરકની નકસીર ચાલે તે •જમણા પગની ટચલી આંગળી દોરાથી મજબૂત બાંધી દેવી. અને જમણી ચાલે તે ડાબા પગની સૂચિત આંગળી બાંધવાથી નાકમાંથી પડતું લોહી તત્કાલ અટેકે છે. ૭. ચૂલાની બળેલી માટી, ગોપીચંદન અને સાકર સમભાગે ચૂર્ણ કરવું, અડધો તોલે રોજ સવારે ખાવાથી નાક અને મોઢાનું લેહી બંધ થાય છે. ૮. કડવા લૂંબડાનું મૂળ સાકર સાથે આપવાથી અસાધ્ય નકસીરને આરામ આપે છે. ૯. દાડમની છાલ વાટી પા તોલા મધ સાથે લેવી. આરામ થશે. ૧૦. ગેબરને રસ અથવા લીલું છાણું ખૂબ શક્તિથી સુંઘવાથી પણ નાકનું રક્ત તરત જ બંધ થાય છે. ૧૧. એલચી ૨ ટેક, પત્રજ અને વંશલેચન ૧-૨ ટંક. પીપલ ૮ ટંક, જેઠીમધ ૨ ટેક, દ્રાખ ૧૬ રંક, મિશ્રી-સાકર ૧૧ ક. સર્વ વાટી અડધા તોલાની ગેળી કરવી. નયણે ખાવી, નાક મુખેથી લેહી પડતું બંધ થશે. ૧૨. આંમળાની થેપલી માથે બાંધવાથી પણ આરામ થશે. ૧૩. દાડમના સુકાયેલા ફૂલનું ચૂર્ણ ૩ માસા દહીં સાથે ખાવું. પેટ, મુખ અને નાકથી વહેતું લેહી બંધ થશે. છર્દિ-વમન ૧. ફૂટનું ચૂર્ણ ૧ માસા છાશથી પાવું, વમન બંધ થશે. ૨. ભાંગનું મૂળ પાણીમાં ઘસી પાવું. ૩. મેટી હરડે એક વાટી મધમાં ચટાડવી. ૪. આંબલીને રસ સેંધવ નાખી પાવો. પ. નાની પીપર લીંબડાના રસમાં પાવી. ૬. રક્તચંદન, સાકર, મધ અને ચેખાનું વણ પીવું. ૭. બાવળનો રસ, તુલસીનો રસ અને એલાયચી ત્રણે પાવાં.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy