SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રાગે અધુરો ન પડે શારીરિક દુબલતા અથવા અસંયમ આદિ કારણોથી ઘણીવાર અધૂરો ગર્ભ પડી જાય છે. અને એક વાર ગર્ભસ્ત્રાવ થયાં પછી બીજી વાર પણ પડવાનો ભય રહ્યા કરે છે, એવા કેસ માટે નીચેના બન્ને પ્રગો અત્યુપયોગી નિવડ્યા છે. ૧. ફકરલાના બીજ, શુભ્રા કાથો, ૨-૨ તોલા, સર્વ સમાન સાકર, ગી-ળા અંક ૨૧ દિવસ સેવન કરે, ખાટું-ખાર વાય ન ખાવું. આ પ્રયોગથી અધુરો ગર્ભ અટકે છે. અને સંતાન પુષ્ટ થાય છે. ૨. જળાશયમાં ઉત્પન્ન વૂઈ શનિવારે નિમંત્રી રવિવારે ગ્રહણ કરી કટિ પ્રદેશે બાંધવાથી પણ અધૂરો ગર્ભ પડવાનો ભય રહેતો નથી. મૃતલસા દોષ ઘણીવાર એવું બને છે કે સંતાન હોવાની સાથે અથવા અમુક અવધિમાં મરી જાય છે. એ દેષ ટાળવાના પ્રયોગે આપવામાં આવે છે. ૧. તિલકટો પંચાંગ છાયા શુષ્ક ચૂર્ણ તૈયાર કરી રાખવું. સંતાન જ્યારે ૪૫ દિવસનું થાય ત્યારે તેની માને રા રંક ચૂર્ણ વાસી પાણી સાથે ફકાવવું. પથ્યમાં માત્ર મગની ખીચડી આપવી. આ પ્રયોગ ૨૧ દિવસ ચાલુ રાખવો. શક્તિ સભ્યનું નારી હોય તે જ્યાં સુધી છોકરું ૪-૫ મહિનાનું ન થાય ત્યાં સુધી ચોષ્ટિક ઔઘધે લેવાં. ૨. હળદર, સુંઠ, મરી, પીપલ, લીંબડાની છાલ, પીપલા મૂળ, લવિંગ, એલચી, મોટી હરડે, નાની હરડે, દારૂ હળદર, દેવદાર, બાવચી, ચેપચીની, સુઆ, ધમાસા, રતાંજણી, જીરું, આંવલા, ચંદન, વરીયાળી, મેંદી, ચિત્રક, અરડૂસો બધી દવાઓ ૨૪ ટંક લેવી, નાના ટૂંબડામાં ભરી ઉપરથી ૧-૨ સેર ગર્દભ મૂત્ર રેડવું, એ ઘરને આંગણે ગાળવું. જયારે બાળક ૮ માસનો થાય ત્યારે કાઢી એની છુટ્ટી આપવી. અને બાળક જન્મતાંની સાથે પણ અને તે ઘુટ્ટી આપવાથી મોટી ઉંમરમાં બાળક મરતાં નથી. આ પ્રયોગ નિર્ભય અને ખૂબ જ અસરકારક છે. ૩. ત્રિફલા, ત્રિગડુ, ગલી, એલિય, જીરું, અજમો, સિંધવ, કુડાછાલ, કાળુ જીરું, ગુગળ, અજમેદ, રતાંજણી, ધાણા, સુવા, આસીંદ, કિરાયો સમાન ભાગે પ્રત્યેક દ્રવ્ય લેવાં, વાસી પાણીથી ૨ રતિ અથવા તે ગૂગળને પાતળે કરી કૂટી ચણા બરોબર ગાળિએ બનાવી માને આપવાથી બાળક જીવે છે. આ પ્રયોગ ૫ માસ લગી કરો. ગળીને પ્રભાવ દૂધ પર પડે છે. એથી બાળકને દરેક જાતનાં પૌષ્ટિક તત્ત્વો મળી રહે છે. ૪. આસગંધ, ઠ, મરી, ત્રિફલા, બને છરાં, ઈન્દ્રજ, કૂડાછાલ, અજમો, ગૂગળ, ગળી, સેંધવ, રતાંજણી, એલિ, ચણાઠી, ઉંટના લીડાની રાખ ૮ ટંક, બાકી બધાં –૪ ટંકે, વાસી પાણીથી લેવું, આ ઔષધ પાંચ મહિના લાગે ત્યારથી આપવું જોઈએ, માત્રા -ર માસ સુધીની સમજવી. મૃતવત્સા દોષ મટે છે. ૫. શુદ્ધ સ્વર્ણ, કસ્તૂરી, વાલકનાલીને રસ, ગૌશૃંગ, ચારેની ઘૂંટી બાળકને સ્વપ આપવાથી મૃત વત્સા દોષ ટળે છે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy