SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] ફેંટો ખસ્યો ને આવ્યો વિચાર ૩૭ દાદાશ્રી : લગ્ન કરવા તો શાશ્વત જોડે કરવા, તે મોક્ષે જવાય. આ સંસાર એટલે તો દગો કહેવાય, છતાં પણ ફરજિયાત છે. જન્મથી મરણ સુધીની બધી જ ક્રિયા ફરજિયાત છે. પુરુષ થયા પછી, જ્ઞાન પામ્યા પછી મરજિયાત થાય. નહીં તો છેક સુધી પ્રકૃતિના નચાવ્યા જ નાચવાનું છે, ફરજિયાત. એટલે સુખ નથી એવું કશું નથી, બધું કલ્પિત સુખ છે જ. ધણીમાંય કલ્પિત સુખ છે અને બીજી વસ્તુઓમાં કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે. સનાતન સુખ એ ક્યારેય જાય નહીં. અમારે ક્યારેય જતું નથી. તમે રાત્રે બે વાગે આવીને ઊઠાડો તોયે અમે આવા ને આવા દેખાઈએ. અને હમણે કહો કે “આવ્યું, આવ્યું, આવ્યું, તો પૂછીએ કે શું આવ્યું ?” ત્યારે કહે, ‘દોઢસો માઈલની સ્પીડે આવ્યો, વંટોળિયો.” તોય અમે આવા ને આવા દેખાઈએ. ભૂમિકા જ બદલવાની જરૂર પ્રશ્નકર્તા : સાચું દાદા, આ બધું કલ્પિત જ છે પણ વ્યવહાર જે લઈને આવ્યા છીએ તે પતાવવો પડે છે, ત્યાં શું જાગૃતિ રાખવી ? દાદાશ્રી : લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે, તે તમેય પતાવો છો ને પતાવું છું. વ્યવહારથી તો આ સંસાર ઊભો રહ્યો છે. વ્યવહારથી તો હુંયે પતાવું છું અને વ્યવહારથી તમેય પતાવો છો. તમે તન્મયાકાર થઈને પતાવો છો, હું એનાથી જુદો રહીને પતાવું છું. પ્રશ્નકર્તા ઃ બાકી ભૂમિકા જુદી છે આખી. દાદાશ્રી : હા, એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરેય છે તે થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા'તા. જન્મથી જ જ્ઞાની હતા એ. પ્રશ્નકર્તા: એ તો પૂર્વભવનું જ્ઞાન એમને ચાલ્યું જ આવતું'તું. દાદાશ્રી : જન્મથી જ જ્ઞાની હતા, છતાંય પણ વ્યવહારમાં લઈ જોડે, મા-બાપ જોડે રહ્યા, સ્ત્રી જોડે રહ્યા, દીકરી પણ થઈ. બધા
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy