SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ત્યારે રાંડે, શું કરે ?” ત્યારે કહે, ‘પણ તે પૈણ્યો શું કરવા ?” માંડીએ તો રાંડવાનું થાય ને ? અને માંડીએ નહીં તો ? પ્રશ્નકર્તા: કશું નહીં. દાદાશ્રી : માંડ્યા પછી રાંડ્યાનું રડવાનું હોતું હશે ? માંડીએ એટલે આપણે સમજવાનું કે રંડાપો આવવાનો છે. બેમાંથી એક રાંડે કે ના રાંડે ? ત્યારે અમારે તો પેલો ઓળખાણવાળો ભઈ આવ્યો હતો મોહન, તે એની વહુને શું કહે ? “તું ના રાંડીશ પણ હું રાંડીશ.” એવું કહે. તે વહુ બહુ ખુશ થઈ જાય. “અમારા ધણી બહુ સારા છે. મને કહે છે, “તું ના રાંડીશ, હું રાંડીશ.” કેટલું મન મોટું છે !” તે મેં કહ્યું, “હું સમજી ગયો તને. તું વાણિયો !” મોહનભાઈ તે બહુ પાકો વાણિયો ! વાક્ય કિંમતી છે ને ? વહુને ખુશ કરી નાખી. ‘તું ના રાંડીશ, હું રાંડીશ', કહે છે. સાધુ થવું કે પૈણવું એ બન્ને મોહ અમારે લગ્ન થયા, ત્યારે અમને થયેલું કે બેમાંથી એકને તો રાંડવાનું જ છે ને ! પણ રાંડવાનો બિઝનેસ (ધંધો) સહન થઈ શકશે તેથી શાદી કરેલી. આ લગ્નનો મોહ શાને ? દરેક અવતારમાં સ્ત્રી અને પુરુષ, દેવોમાંય સ્ત્રી અને પુરુષ, જાનવરમાંય સ્ત્રી અને પુરુષ, તોય તે મોહ છૂટતો નથી, એ જ માયા ને ! હવે લગ્ન વખતે આ વિચાર, એટલે એટલો બધો વૈરાગ, જબરજસ્ત વૈરાગ દુનિયા ઉપર ! પણ છતાંય પપ્પાને જો ! ભરેલો માલ, હીરાબાના ખાતાનો માલ ભર્યો. નહીં તો સાધુબાવા થાત, પણ એય માલ, એય મોહ છે એક જાતનો ! એય મોહ અને આય મોહ, બન્નેય મોહ છે. એટલે હું આ મોહને વધારે પસંદ કરું છું. આ ટેસ્ટ એક્ઝામિનેશન છે. જગતમાં રહીને કાર્ય પૂરા કરે તે ટેસ્ટેડ અને પેલું તો કસરતશાળા એટલે મનને મજબૂત કરવા જવાનું અને પાછું અહીં તો આવવાનું જ. શાશ્વત જોડે પરણે તો થાય મોક્ષ પ્રશ્નકર્તા : બને મોહ કીધા તો પછી કરવું શું? લગ્ન કરવા કે નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy