SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગયું હોય. સ્ત્રીઓમાં આ ગ્રંથિ પડેલી હોય, હીરાબા સરળ તે કહી દેતા, ‘તમે વઢો નહીં એટલા સારુ અમે જૂઠું બોલીએ. દાદાશ્રી કહે, “અમે વઢવા નવરા જ નથી.” ત્યારે બા કહે, “સ્વભાવ જ એવો કે બોલી જઈએ.” હીરાબા દાદાશ્રીની પ્રકૃતિ ઓળખે કે કોઈ આવે ને કહે, “મારે આમ તકલીફ છે ને તેમ.' તો તમે કબાટમાંથી કાઢી તરત આપી દો છો. ત્યારે દાદાશ્રી કહે છે, “હું જાણીને આપતો હતો, એનું દુઃખ ઓછું થાય ને !” અને હીરાબાનું અજાણતામાં જતું રહે. દાદાની આ અનોખી સમજણ હતી. સંસારમાં લોકો “મારે આમ અડચણ છે, આમ છે, તેમ છે” કહે, ને કાકલુદી કરે ત્યારે દાદાશ્રી સમજે કે આ છે જૂઠો, પણ કાકલૂદી કરે છે બિચારો. એનો આત્મા વેચે છે, તે પોતે ખરીદી લેતા. પોતે છેતરાઈને પૈસા આપી દે, પણ એનો અહંકાર ખરીદી લેતા હતા ! એટલે લોકો એમની પાસેથી લઈ જાય અને દાદાશ્રી આપી પણ દે. કશું પાસે રહે નહીં. સામાનું દુઃખ સહન થાય નહીં એટલે કબાટ ઉઘાડીને પૈસા આપી દેતા ! ત્યારે હીરાબા શું કહે ? ‘તમે બહુ ભોળા, બધાને આપ આપ કરો છો. પછી પાછા તો આવતા નથી.” દાદાશ્રીને પાછા માગવાનું ફાવે નહીં, મરવા જેવું લાગે. પછી છેવટે દાદાશ્રીએ વ્યવહાર-વહીવટ હીરાબાને સોંપી દીધો. કબાટની ચાવી હઉ આપી દીધી. મારા હાથમાં કશું ના રાખશો. તમે આ ચાવી તમારી પાસે રાખો. દાદાશ્રીએ વ્યવહાર સોંપી દીધો તે પછી હીરાબા બધો વ્યવહાર, લગ્ન-પ્રસંગ બધું સાચવે. પછી હીરાબા કહે, “તમે વ્યવહારમાં કશો હાથ જ નથી નાખતા.” ત્યારે દાદાશ્રી કહે, “મને સમજણ પડતી નથી. તમને સમજણ પડે બધી.” એટલે હીરાબા ખુશ થઈ જાય. “ભોળા છે ને પહેલેથી, એટલે એમને સમજણ ના પડે એવું કહે. દાદાશ્રી કહે છે, “આમ કરીને અમારે તો મોક્ષે જતું રહેવું છે ને એમનેય મોક્ષે તેડી જઈશું !” અને મને ભોળો માની લીધેલો એટલે એમની કોર્ટમાં નિર્દોષ ગણાઉં ને ! 36
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy