SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, આમને આ ચાંદીના વાસણ આપવા અને પાંચસો રૂપિયા રોકડા આપજો ! ત્યારે હીરાબા કહેવા માંડ્યા કે તમે તો ભોળા માણસ છો, એવા પાંચસો રૂપિયા અપાતા હશે ? ત્યારે દાદાશ્રી કહે છે, તમને ઠીક લાગે છે ! મતભેદ ન પડવા દેવા પોતે આવું બોલી ફરી ગયા. જેને મતભેદ નથી કરવો, તેને મતભેદ કેમ ટાળી શકાય એનું જ્ઞાન એની મેળે કુદરતી રીતે ઉત્પન્ન થાય. મતભેદ પડે તો એમને કેટલું દુઃખ થઈ જાય ! દાદાશ્રી કહે છે કે મતભેદ પડે તો હું જ્ઞાની શેનો ? તમારે મતભેદ પાડવો હોય તોયે હું પડવા ના દઉં. અમારે કાયમ જાગૃતિ હોય. અમારે પિસ્તાળીસ વર્ષથી મતભેદ જ નથી કોઈ જાતનો. પછી એમની મહીં રહેલા ભગવાન મારી ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે તમે જે માંગો એ ફળ આપું. તમારા ભગવાન તમને ફળ ના આપે. એમના ભગવાન તમને ફળ આપે, તમારા ભગવાન એમને ફળ આપે. તમે જો આવી રીતે એને દુઃખ ના આપો તો એનું ફળ આવું જ આવે. આ સાયન્ટિફિક વાત છે. [૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ? હીરાબા દાદાશ્રીને હંમેશાં કહેતા, ‘તમે બહુ ભોળા છો.” ત્યારે દાદાશ્રી વાતને વધાવી લે, કે આ તમે સરસ શોધી કાઢ્યું, મને ગમી વાત. પછી એક દહાડો દાદાશ્રીએ હીરાબાને પૂછયું કે તમે તો સીધા માણસ, તમારે કોઈ દહાડો ઊંધુંચતું કરવાનું નહીં ને ? તમારામાં તો કપટ હોય નહીં ને ? તમે વધારે પડતા સરળ હશો ને ? ત્યારે હીરાબા કહે, “ના, એ તમે ના જાણો. અમે તો બધું કરીએ, તમને ખબર ના પડે. મારામાં કપટ ખરું. દાદાશ્રીએ પૂછયું, “બીજી સ્ત્રીઓ જૂઠું બોલે, તમે તો...” તો કહે, “અમેય બોલીએ, એ તો અમને આવડે.” શાથી એવું કપટ કરે ? આપણે પૂછીએ કે “પેલી ચીજ ક્યાં ગઈ ?” તો કહે, “મને ખબર નથી, કોઈ લઈ ગયું લાગે છે !” હવે ખરેખર એ કોકને આપી દીધી હોય. બસ આવા, બીજા કેવા કપટ ! નાની નાની બાબતમાં જૂઠું બોલે. હવે કંઈ વઢવાના નથી, પણ એ સ્વાભાવિક થઈ 35
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy