SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે ૩૧૭ દાદાશ્રી : એમનેય ખબર પડતી'તી. પણ બહુ અનુભવ નહીં. એમના થોડા કાચા અનુભવ, પણ મોહ ઓછા આમ. જેને જેટલો સુખ નથી એવો અનુભવ થયેલો હોય, તેટલો તેને મોહ ઓછો હોય. પ્રશ્નકર્તા : હીરાબાને આપના પર ખૂબ ભાવ હતા ? એવો જ ભાવ રહે હીરાબાને ? દાદાશ્રી : એમને બધા સારા ભાવ હતા, ફર્સ્ટ ક્લાસ ભાવ ! પ્રશ્નકર્તા ઃ આપને જ્ઞાન થયા પછી, હીરાબા આપને પરમાત્મા જેવા જ માને ? દાદાશ્રી : ના, પહેલા નહોતા માનતા, પણ પછી છે તે એમને મનમાં લાગ્યું કે “ના, આ બરાબર છે. પહેલા મહીં બીજાની શિખામણ હતી. એટલે “કૃષ્ણ ભગવાન એ જ ભગવાન” કહે. પ્રશ્નકર્તા : પછી તમે સમજાવો એમને ? દાદાશ્રી : એવું દબાણ કરવાનું નહીં. આપણે શું કામ છે, એવું મનાવીને પણ ? જેને ગરજ હોય તે માને. પ્રશ્નકર્તા : પણ હીરાબા હતા ને ? દાદાશ્રી : તેમાં શું થયું, આ બીજા લીમડાબા નહીં ? કાશીબા, લીમડાબા. પ્રશ્નકર્તા : દાદા, પણ હીરાબા તો આપની કેટલી ક્લોઝ ફાઈલને, ફાઈલ નંબર ટુ. દાદાશ્રી : એ ફાઈલો હોય જ ને પણ ! દાદાય ભગવાત પણ કૃષ્ણ એ ખરા ભગવાન એ મને કહે છે, “કૃષ્ણનું નામ દઈશ, તમારું નહીં દઉં.' એમને એ પહેલેથી પેસી ગયેલું કે આ જૈનધર્મ પાળે છે, એટલે જૈન છે આ બધું. પણ વિધિ-બિધિ કરે અત્યારે. આમ જ્ઞાનેય લીધેલું, પણ એ હજુ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy