SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય ૨૩૫ ભલેને ત્રીસ વર્ષનો હોઉં પણ એટલો પ્રતાપ લાગે. શું કહ્યું ? અને પછી ચાલ્યું તોફાન. પ્રશ્નકર્તા : દાદા, તોફાનમાં શું થયું ? દાદાશ્રી : આ તો એક છોડી પગે લાગતી હતી. એ વિધિ કરતી હતી બિચારી, જવાન ઉંમરની છોકરી. પેલાએ હીરાબાને શિખવાડેલું, “આ છોડીઓ અડે છે, તે દાદાનું મન ફરી જશે.” એટલે આ ગભરાયા બિચારા. આ તો ખાનદાન બાઈ, તે કેવી ખાનદાન બાઈ ! કોઈ દહાડોય કશું આઘુંપાછું નહીં. અમે જે પૂર્વભવે ચિતરેલું તે પ્રમાણે આ બધો માલ. અને નાનપણમાં રૂપાળા બમ જેવા. પછી હવે શું જોઈએ અને નિર્દોષ બિચારા. એમને ગુના કરતા આવડે નહીં, કપટ કરતા બહુ આવડે નહીં. હીરાબા મોટા મનના, કેવડું મોટું માઈન્ડ તે આ ! ધણી પર જરાય બીજો ભાવ ન ઉત્પન્ન થાય એવા હીરાબા. પણ એ સામી જગ્યાએ બેસે બ્રાહ્મણને ત્યાં, એ લોકોએ કાનમાં રેડ રેડ કર્યું, કે “આ નાની-નાની છોકરીઓ આવે છે ને દાદા જે આ સંયમી છે ને, એમનું સંયમ તોડી નાખશે.” હવે હીરાબાના મનમાં એમ થયું કે મારી આબરૂ શું રહે ? એ આબરૂદાર અને હું ના આબરૂદાર ! એમના મનમાં પેઠું કે મારી આબરૂ જતી રહેશે. એ પેલાએ રેડ્યું ને, પછી એ તો એમનામાં બહુ ભરાઈ ગયું આખું. હું જાણતો'તોય ખરો કે આ દવા અવળી થઈ રહી છે. છતાં અમે ના તો કહીએ જ નહીં કે ત્યાં બેસવા ના જશો, એવું ના કહીએ. કોઈની સ્વતંત્રતા અમે બંધ ના કરીએ. હીરાબાએ કર્યું ત્રાગું બિચારી છોડીઓ વિધિ કરવા આવે ને, તે હીરાબાને તો કશો રોગ નહીં, બિચારા સરસ માણસ ! પણ સામા બારણે બેસે ને, તે પેલા બૈરાએ ચઢાવેલા એમને, કે “આ બધી નાની-નાની છોડીઓ આવે છે, બહાર ખોટું દેખાય બધું. આ તો કંઈ સારું દેખાય ? “દાદાજી સારા માણસ ને આ બધું ખોટું દેખાય ! લોક જાતજાતના આરોપ કરે.” તે આ ગભરાઈ ગયેલા બિચારા. આ સારા માણસ, તે લોકોએ નાખ્યું
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy