SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ ‘એની ટાઈમ ઓપન ટુ સ્કાય.’ અને ‘એની ટાઈમ' તમે અમને ટેન્શન રહિત જોઈ શકશો. ‘એની ટાઈમ વિધાઉટ એની ટેન્શન.' અને ટેન્શન ગયે, મુક્તિ થઈ જાય. એવા ટેન્શનરહિત પુરુષને જુઓ તો તમારું ટેન્શન જાય, અને ટેન્શન જાય તો મુક્તિ થાય. એ જ ટેન્શનવાળો હોય તો આપણને શુક્કરવાર ક્યારે વાળે ? એટલે શુક્કરવાર વળે નહીં અને શનિવા૨ થાય નહીં, ‘એવરી ડે ઈઝ ફ્રાયડે (દ૨૨ોજ શુક્ક૨વા૨).’ જ્યારે જુઓ ત્યારે ફ્રાયડે ને ફ્રાયડે દેખાતું હોય. ૨૦૩ ચોવીસેય કલાક આજ સત્યાવીસ વર્ષથી મને ટેન્શન થયું નથી કોઈ દહાડો. મેં ટેન્શન જોયુંય નથી. અને તેમ તમે પણ થઈ શકો છો. જે હું થઈ શકું એટલી તમારામાં શક્તિ છે જ ! તમારામાંય પાર વગરની શક્તિ છે ! અકસીર દવા કાઢે રોગ અનંત અવતારતો એટલે આવો એક મતભેદ પડી ગયો'તો. તે પછી નથી પડ્યો. એટલે આ થોડી ઘરની વિગતોય કહી તમને. ગમ્મત આવે, જોડે આનંદ થાય, પોતાનામાં શક્તિ વધે. પોતાને વિચારો થાય કે આપણેય થોડુંઘણું આ પ્રમાણે કરીએ. જાણવાથી પછી કરવાનું થાય ને, સાહેબ ! આમને તો બહુ ગમી ગઈ મારી વાત. પ્રશ્નકર્તા : હા, દાદા. વ્યવહારની અંદર આપની આ બોધકળા તો બહુ ઉપયોગમાં આવે છે. દાદાશ્રી : હા, એટલે આ દાખલા આપ્યા છે ને ! એ દાખલા એટલા બધા સુંદર લાગે લોકોને, એ દાખલાથી બધો ફેરફાર થઈ જાય ! અનંત અવતારનો રોગ એક અવતારમાં જ કાઢવાનો છે. કેવું ? રોગ કેટલા અવતારનો છે ? પ્રશ્નકર્તા : અનંત અવતારનો. દાદાશ્રી : અને એક અવતારમાં કાઢવા માટે દવા જોઈએ કે ના જોઈએ ? કેવી દવા જોઈએ ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy