SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી... આવે તો ફેરફાર થઈ જાય. સંસ્કારની જરૂર છે. સાવ જડ નથી આ. ખોટી ખોટી પણ, ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ. પહેલા તો ખરાબેય નહોતી. ખરાબ થઈ હોય ને, તો એને સંસ્કારી કરી શકાય. બુદ્ધિ ડેવલપ થયેલી હોય ને તેથી ! ૧૩૩ એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે. એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે ભઈ, આ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય. ભાન જ નથી આ તો. ખાય છે, પીવે છે, તેય ભાન નથી. આ ભાન વધારવાની જરૂર છે આપણે. આ તો ભાન અહંકારમાં જ બધું પેસી ગયું છે. ‘હું આમ છું ને તેમ છું’ એવું નહીં, ‘મારે બધું જાણવાનું બહુ બાકી છે' એવું સમજાવું જોઈએ. જ્ઞાનને માટે ખુલ્લું રાખવું જોઈએ. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પછી કોણ પાણી રેડે ? તમને ગમી વાત ? એતે ધણી કેમ કહેવાય ? કઢી સારી થઈ હોય તો તો ક્લેશ ઊભો થતો જ નથી ને ! હવે કો'ક દહાડો ખારી ના થાય ? બિચારા એમને રોજ બનાવવાની, તે થાય કે ના થાય ? કો'કને ઘેર ન્યાય કરી આપે પણ મૂઓ પોતાને ત્યાં ‘કઠું ખારું કર્યું’ બોલી પડે. બોલે કે આ ઈન્ડિયનો (ભારતીયો) ? પ્રશ્નકર્તા : હા, બોલે ને ! દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બાકી ના રાખે, નહીં ? પ્રશ્નકર્તા : બાકી તો ના રાખે પણ લાગ આવે તો એકાદ ધોલ હઉ ચોડી દે, એટલે બાઈને આખો દહાડો મહીં ફટક ફટક થયા કરે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy