SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ રહે ? જ્ઞાની પુરુષ (ભાગ-૨) કઢી ખારી થઈ તો બૂમ ના પાડીએ તો એને શાંતિ રહે કે ના પ્રશ્નકર્તા : રહે. દાદાશ્રી : હં... અને આપણે કહીએ, ‘કઠું ખારું થયું છે', તો શું થાય ? છોકરાંય ઊંચું જોયા કરે, ‘મારો પપ્પો ખરાબ છે મૂઓ ! ખાતો નથી ને કકળાટ કર્યા કરે છે !' છોકરાંય બિચારા ભડકે ને ? અરે મૂઆ, ખાવાની બીજી ચીજો છે, કંઈ કઢી એકલા પર છે બધું આ ? કઢીને બાજુએ મૂકવાની. અમારી કઢી ખારી હોય ને, તો હીરાબા આમ આઘાપાછા થાય કે તરત મહીં પાણી રેડી દઉં. તે રાગે પડી જાય. અને ગળી ચીજ હોય શ્રીખંડ-બીખંડ, તો કઢીમાં આટલું સહેજ નાખી આપું ને પાણી રેડું, તે થઈ ગયું. કઢી ખવાય એવી થઈ જાય. એ રસ્તો કરી લેવો જોઈએ. કંઈ મ્યુનિસિપાલિટી નોંધ રાખે છે આપણે ખઈએ છીએ તેની ? જો નોંધ રાખતું હોય તો આપણે વિચારીએ કે એ કરવું પડે. સાંજે પાછું ખાધા વગર ચાલશે ? તો કકળાટ ના કરવો એ ધર્મ હોવો જોઈએ. કોઈ પણ રસ્તે કકળાટ નહીં કરવો જોઈએ. જેનો ઉપાય ના હોય તેને માટે કકળાટ કરે એ ગુનેગાર કહેવાય છે. આવો જ્યાં કકળાટ ઊભો થવાનો છે ત્યાં જ આપણે ઠંડક કરીએ તેનું નામ ધર્મ કહેવાય. પ્રશ્નકર્તા : અમુક માણસોનો સ્વભાવ જ એવો હોય કકળાટ કરવાનો, તો ? દાદાશ્રી : એટલે જ કહું છું ને, કે દુઃખ નથી પણ દુ:ખ ઊભા કરે છે, ઈન્વાઈટ (આમંત્રિત) કરે છે. કોઈને દુઃખ જ નથી કોઈ જાતનું. ખાવા-પીવાનું બધુંય છે, કપડાંલત્તાં છે, રહેવાનું ફ્રી (મફત) છે, બધું સાધન છે પણ દુ:ખ ઊભા કરે છે. બહુ થોડા ટકા પાંસરો માલ છે, બાકી બિશ મિટરયલ (કચરો માલ) છે. બધા, રબિશ છતાં વિચારશીલ છે, ડહાપણવાળો છે. બુદ્ધિ છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે. થોડીક બુદ્ધિ ડેવલપ થયેલી છે, તે અવ્યભિચારિણી થઈ શકે એમ છે. સારા ટચમાં
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy