SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા 125 પ્રમાણે મુસાફરી કરનારે લવણ સમુદ્રના કિનારે કોઈપણ જાતની દિવાલ અર્થાત્ જગતી જોઈ નથી. તેનું કારણ હવે સ્પષ્ટ છે કે આ વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે છે. એક અભિપ્રાય અનુસાર આ પ્રકારના સાંખ્યિકી ભૌમિતિક આકારવાળા ભરતક્ષેત્રમાં ભૌગોલિક વિષય વસ્તુનું બતાવવું એટલે કે અધ્યારોપણ કરવું તે માત્ર પરવર્તી આચાર્યોનું કલાત્મક સર્જન માનવું અથવા અજ્ઞાનતાના કારણે આ ભૌગોલિક અધ્યારોપણ થયેલ માનવું જોઈએ. ૫. પર્વત : ભરતક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા બે પર્વત છે. એક લઘુહિમવાન પર્વત જે તેની ઉત્તરે સીમા બનાવે છે અને બીજો વૈતાઢ્ય જે તેના બે ભાગ કરે છે. ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ. આ બે વિભાગને વૈતાઢ્ય પર્વતની બે ગુફાઓ ખંડપ્રપાતા અને તમિસ્રા જોડે છે. આ ગુફાઓ આઠ યોજન ઊંચી, ૧૨ યોજન પહોળી અને ૫૦ યોજન ઉત્તર-દક્ષિણ લાંબી છે. જો કે આ પર્વતો સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે ભૌગોલિક પર્વતોના સામૂહિક વર્ગીકૃત ભૌમિતિક આકારમાં સમજવાના છે. વર્તમાન પૃથ્વી ઉપર આવેલ પર્વતો અને નદીઓને તેના અસલ સ્વરૂપમાં દર્શાવવું સાંખ્યિકી પદ્ધતિના વિષય તરીકે આવતું જ નથી. તેથી આ પર્વત સાંખ્યિકી પર્વત છે, વાસ્તવિક નથી. ટૂંકમાં, આ પર્વતોને ભૌગોલિક પર્વત તરીકે લેવાના નથી. ૬. નદીઓ : લઘુહિમવાન પર્વત ઉપરના પદ્મ સરોવરમાંથી નીકળતી ગંગા અને સિન્ધુ નામની બે નદીઓ વૈતાઢ્ય પર્વતને ભેદીને અને ત્યારબાદ લવણસમુદ્રની જગતીને
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy