________________
ઝાકળભીનાં મોતી
થઈ ગઈ. એ માછલીઓની રાણી પાસે ગઈ અને એને પૂછ્યું, “આ સાગરનું નામ સાંભળીને તો હું વાજ આવી ગઈ છું. આ સાગર છે શું ? એ રહે છે ક્યાં ?”
માછલીની રાણીએ હસતાં-હસતાં કહ્યું, “અરે રમતિયાળ ! આ સાગરમાં તો તારો જન્મ થયો છે. એ જ તારું જીવન છે અને એ જ તારું જગત છે. સાગરમાં તું ઊછરી છે અને સાગરમાં મરણ પામવાની છે. સાગર તારી સત્તા છે અને સાગર તને ઘેરીને પડેલો છે. સાગર એ જ આપણું સર્વસ્વ.”
માનવીની દશા રમતિયાળ માછલી જેવી થઈ છે. એની આસપાસ ઈશ્વર છે, છતાં એ દૂર દૂર એને શોધવા નીકળે છે. માનવીનું અસ્તિત્વ ઈશ્વરથી વીંટળાયેલું છે, પણ મૂર્છિત માનવીની આંખે ઈશ્વર ચડતો નથી. મૂર્છા એ ભ્રમણા છે. અમૂર્છા એ ઈશ્વર છે.
માનવી આવી અમૂર્છા સાધે તો એ ઈશ્વરને પામી શકે. મૂર્છિત માનવી તો પોતાનામાં રહેલા ઈશ્વરને ખોળવા માટે આખી દુનિયા ફેંદી વળશે !
162
૫૪
મજબુત કિલ્લો
એક સંન્યાસી જંગલમાંથી જગતમાં આવ્યો. આજ સુધી આશ્રમમાં તો યોગીઓ જ મળ્યા હતા. જગતમાં એવું નહોતું. એમાં તો જેટલા ભગત હતા, એનાથી બમણા ઠગ પણ હતા.
સંન્યાસીને એક સંસારીએ કહ્યું, “ગુરુદેવ ! આ તો સંસાર છે. અહીં સારા માણસો મળે તો મળે, બલ્કે નઠારા તો જરૂર મળશે."
સંન્યાસીએ હળવાશથી કહ્યું : "જે મળે તે બધા સારા જ છે ને ! ક્યાં કોઈ દુષ્ટ છે ?”
પેલા સંસારીએ કહ્યું : “પણ જો આ દુનિયાનો કોઈ દુષ્ટ માનવી તમારા ઉપર હમલો શરૂ કરે તો ?"
સંન્યાસી ખડખડાટ હસી પડયો. એણે કહ્યું, “અરે ! એની તો કશી ફિકર નથી. મારો કિલ્લો એવો મજબૂત છે કે
163