SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૧૦ પૂજ્ય મૃગાવતીજી મહારાજે યુવાનોમાં સેવાભાવના અને જૈન ધર્મના પ્રચારની ભાવના નિર્માણ કરી હતી. યુવાનોને હંમેશાં એમની પાસેથી માર્ગદર્શન અને વાત્સલ્ય મળતાં. એમને પરમ શાંતિ મળો એ જ પ્રાર્થના. - શ્રી આત્મવલ્લભ જૈન સેવા મંડળ (અંબાલા) મૃગાવતીજી જૈન સમાજના કોઈ એક સંપ્રદાયના ન હતા, પરંતુ સમાજના એક આદર્શ તેજસ્વીની, હિતષ્ટા, કલ્યાણસાધિકા અને સન્માર્ગપ્રેરિકા હતાં. તેઓ ઘણાં વર્ષોથી જૈન શાસનની પ્રભાવના અને જૈન તીર્થંકરોની વાણીના પ્રચાર-પ્રસારમાં કાર્યરત હતાં. ત્યાગ, તપસ્યાની સાથોસાથ વિદ્વત્તાનો અપૂર્વ સમન્વય મૃગાવતીજીમાં જોવા મળતો હતો સાધ્વીજીની પ્રેરણાથી વલ્લભસ્મારક નિર્માણનું કાર્ય ઉચ્ચ કોટિએ ચાલી રહ્યું હતું, આવાં પરમ પ્રભાવક સંપન્ન સાધ્વીજીનો વિયોગ એ આપણા સૌ માટે અતિ દુ:ખદાયક ઘટના છે. અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ પરિવાર દિવંગતા સાધ્વીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એમના આત્માની શાંતિ અને સદ્ગતિ માટે પ્રાર્થના કરે છે. જૈન સમાજને અપીલ કરે છે કે, પૂજ્ય સાધ્વીજીના આદેશનું અનુકરણ કરી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે. - અખિલ ભારતવર્ષીય જે. સ્થા. જૈન કૉન્ફરન્સ પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ જૈન સમાજની પ્રગતિ અને ઉત્થાન માટે જીવનભર કાર્ય કર્યું. નગર-નગરમાં અહિંસા, સંયમ, તરૂપી સદ્ધર્મનો પ્રચાર કર્યો. એમના કાળધર્મથી જૈન સમાજે એક અમુલ્ય રત્ન ગુમાવ્યું છે. મહારાજીને પરમ શાંતિ મળો એ જ પ્રાર્થના. - શ્રી આત્માનંદ જૈન સભા (જમ્મતવી) મહત્તરાજી માત્ર જૈન સમાજનાં જ નહિ સમસ્ત વિશ્વની મહાન વિભૂતિ હતાં. પોતાની આત્મિક શક્તિથી તેઓ સૌને આકર્ષિત કરતાં હતાં. એમણે મહિલાઓના ઉત્કર્ષ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. ધર્મ અને સમાજ સેવા માટે યુવાનોમાં નવી ચેતના જગાડી. માનવસેવા અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે એમણે અનેક કાર્યો કર્યા. ગુરુ વલ્લભના મિશનને પૂર્ણ કરવું એ જ એમનો સંકલ્પ હતો. એમને ચિર શાંતિ મળો એવી પ્રાર્થના કરીએ છીએ. - રોટરી ક્લબ ઓફ અંબાલા સિટી પૂજ્ય મૃગાવતીજી મહારાજે પોતાના સંયમી જીવન દ્વારા જીવનનો ઉચ્ચ આદર્શ પૂરો પાડ્યો હતો. ભાવિ પેઢીઓ એમની સેવાઓ અને ધર્મપ્રચારને યાદ કરતી રહેશે. શ્રી આત્મવલ્લભ જૈન સ્મારકનિધિ એમના ધર્મપ્રસારનું જીવંત દૃષ્ટાંત છે. શોધસંસ્થાન, જૈન કલા, સંગ્રહસ્થાન અને પબ્લિક સ્કૂલ માટેની એમની સેવાઓ ચિરસ્મરણીય રહેશે. એમણે અચૂક રીતે પરમ પદ પ્રાપ્ત કર્યું હશે, પરંતુ જૈન સમાજને મોટી ખોટ પડી છે. આપણે રાંક બની ગયાં છીએ. - સુરેન્દ્રમોહન જૈન મહાવીર સિનિયર મૉડેલ સ્કૂલ (દિલ્હી) | પરમ વિદૂષી મહત્તરાજીના સ્વર્ગવાસના દુઃખદ સમાચાર સાંભળી આઘાતની લાગણી અનુભવી છે. જેમની પાસેથી માર્ગદર્શન મેળવી જીવન સજાવ્યું હતું, એમના જવાથી દિશાહીન હતપ્રત બની ગયા છીએ. - શ્રી મહાવીર જૈન સભા (કુલ્લુ, હિમાચલ પ્રદેશ) પૂજ્ય મૃગાવતીજી મહારાજ એક એવો પ્રકાશપુંજ હતાં કે એમણે અનેક આત્માઓમાં ‘જૈન જ્યોત જગાવી છે. આપણે સૌ એમના મિશનને સમર્પિત થઈએ અને પ્રભુ મહાવીરને એવી પ્રાર્થના કરીએ કે જે ૩૦૫
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy