SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નવભારતના ભાગ્યવિધાતા : મહાદેવ. : સરદાર. : બાપુ. શાસ્ત્રીજી : ઠીક, હવે એ પહેલાં એક વાત કરી દઉં. શ્રીનિવાસ શાસ્ત્રી, હિન્દના મોડરેટ પક્ષના એક સારા વિદ્વાન સભ્ય, એણે બાપુને લખ્યું, ‘તમે જેલમાં એકલા ગમગીન થઈ ગયા હશો' તો બાપુએ લખ્યું, “ના રે. સરદાર છે, તે એમની મજાકોના સપાટાથી દિવસમાં કેટલીય વાર હસાવે છે. અને સરદારને આપણે ભક્તજન કહ્યા છે. મોહમાયા, કામક્રોધ તજવાની વાત કહેનારા જાણ્યા છે. ભક્ત હોય તે જ નફિકરા હોય.” પૃચ્છક : એમ ? શાસ્ત્રીજી : હાસ્તો, જુઓ નરસિંહ મહેતા, મીરાંબાઈ, બંનેના કિસ્સામાં ચિંતા રામાંડલિકને, રાણા કુંભાને હતી, નરસિંહ-મીરાંને કોઈ પરવા ચિંતા હતી ? સમજ્યા હવે વાંચો પહેલાં મહાદેવ બોલે. મહાદેવ : કેમ તમે ચહા પીવાની છોડી ? સરદાર : અહીં બાપુની સાથે રહી હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય એ ખાવાનું નક્કી કરી લીધું. એમણે ચોખા છોડ્યા, બાફેલું ખાય. દૂધ-રોટી તો હું પણ એમ જ લઉં. કપડાં ધોવાનું તો બાપુએ રહેવા જ દીધું નથી. હાવાની ઓરડીમાંથી પોતે ધોઈને જ નીકળે, પછી કરવાનું રહે છે જ ક્યાં ? મહાદેવ : ઠીક, આ બ્રિટિશ બાઇબલ એટલે શું? પુસ્તકોની યાદીમાં છે ? સરદાર : પાઉન્ડ, શિલિંગ અને પેન્સ જુઓ એમ જ છેને ? મહાદેવ : હા, બરોબર આ છાપામાં ‘ગાંધીની રચનાત્મક ગફલતો” એવું મથાળું છે એ શું ? ભક્તજન વલ્લભભાઈ ૧૬૧ સરદાર : ત્રણ મહિનાથી તો મેં દાળ ખાધી નથી. આજે મહાદેવભાઈ તમે દાળ બનાવી, પણ દેવતા વધારે અને પાણી ઓછું, એટલે દાળ બળી ગઈ એને રચનાત્મક ગફલતો કહેવાય. મહાદેવ : બીજા કંઈ છાપામાં જાણવાજોગ સમાચાર છે ? સરદાર સાહેબ ! સરદાર : હા હા મહાદેવ ! સેમ્યુઅલ હોર ટેનિસ રમે છે. મેકડોનલ્ડ આજે સૂપ પીધો. માલવિયાજી મોટરમાં દિલ્હી જવા નીકળ્યા છે. આજે સૂરજ ઊગ્યો છે. બોલો આથી વધારે કંઈ જોઈએ છે ? મહાદેવ : પેલા લૉર્ડ ઍન્કીનો ન્યૂઝલેટર છાપામાં છપાવ્યો છે. બાપુ એનો જવાબ લખાવવાના છે. બાપુ કહેતા હતા કે ઘણો અવળચંડો લેખ છે. સરદાર : એને લાંબું લાંબું લખવાને બદલે એટલું જ લખી દો, કે તું હાડોહાડ જુઠ્ઠો છે. મહાદેવ : આજે બાપુએ બેએક કલાક મગન રેંટિયા ઉપર ભારે મહેનત કરી. સરદાર : બાપુ ! હવે જેટલું કાંતશો, એથી વધારે બગડશે. મહાદેવ : હવે બાપુ ડાબા હાથે કાંતે છે, તમે એ તરફ નહીં જુઓ ત્યાં સુધી તાર નીકળ્યા કરશે. સરદાર : આ પણ શ્રદ્ધાનો જ વિષય છે ને ? બાપુ : હાસ્તો, શ્રદ્ધા બધે..જુઓ, આજે કેવું સારું પરિણામ આવ્યું છે ? સરદાર : હા, નીચે ઠીક સૂત૨ફેણી પડી છે. મહાદેવ : ‘સંઘર્યો સાપ પણ કામનો” બાપુ ! એ કહેવત શી રીતે ઉત્પન્ન થઈ ? બાપુ : એક ડોશીને ત્યાંથી સાપ નીકળ્યો. તેને મારવામાં આવ્યો. તેને છાપરે મૂક્યો. એક ઊડતી સમડીએ એ જોયો. એની ચાંચમાં
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy