SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ માયા કવિ માયા માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : એમ ? : તને શંકા આવે છે ? જે બ્રિટિશ સરકારની બ્યુરોકસી–સિવિલ સરવિસના અમલદારો, હિન્દી તેમજ અંગ્રેજી, એ બધામાંથી કેટલાકે તો ભારે હત્યાકાંડો યોજેલા, કંઈકને હેરાન-પરેશાન કરેલા, કેટલાક તો બ્રિટિશ રાજ્યને જ માબાપ માનતા. એ બધાને હવે ભારતના પ્રેમી થશો તો તમારાં બધાં કરતૂતો માફ એટલું જ નહીં, પણ સનંદી નોકરીમાં એમને કામ બરતરફી નહીં, સજા નહીં, રોષ નહીં. : તો રાજાઓને ગાદી ઉપરથી કેમ ઉઠાવી. : એમણે નથી ઊઠાડ્યા. એમણે તો બચાવ્યા. ન ઊઠત તો પ્રજા ઉઠાડત. તને તો ખબર છે. ત્રાવણકોરનો દાખલો. તું નાનકડા ટિગીરીઆ સ્ટેટની વાત કરે છે; પણ ત્રાવણકોર, હૈદરાબાદ, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ભોપાલની વાત કરને ! આ પાંચસો રાજ્યોમાંથી કંઈક તો હિંદના ભાગલા પડતાં, તેં જ પાકિસ્તાન સાથે જોડાવવા લલચાવ્યા. : હા, જોધપુર-જેસલમેર, મને એમાં મજા આવતી હતી. : તને તો આજેયે ભલભલાને લલચાવવામાં મજા આવે. લોભિકા ને તેં કેટલાક તો હિન્દમાં જ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા ભંભેર્યા. : બસ્તર, ભોપાલ, વડોદરા, હૈદરાબાદ, ત્રાવણકોર. : એવા કંઈકને તે ભરમાવ્યા. એટલે હિન્દમાં ટંટાબખેડા ચાલ્યા જ કરે. એ રાજ્યો બ્રિટિશ, યા ફ્રેન્ચ, યા જર્મન, ત્યારે રશિયાનું તો નામ દે જ નહીં, પણ એમ બીજાં રાજ્યોની મદદ લીધા કરે, એટલે આખરે હિન્દનો એટલો ભાગ ફરીથી ગુલામ થઈ બેસે. એ જ ઘટમાળ , એ જ રફતાર–કમાલની માયા છે તું ! : પણ એવાં એ રાજ્યો માયામાં લપટાયાં શા સારુ ? થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૧ કવિ : લોભ. ક્ષણિક લોભ એટલે જ સરકારે બધાની શાન ઠેકાણે આણી દીધી. ભારતભૂમિ પહેલી. અને તારાં લોભ-લાલચને પરિણામે સરદાર સાહેબની તેં કેટલી રાતની નિરાંતની ઊંઘ બગાડી દીધી ? : કેમ—આમાં મારી જવાબદારી શી રીતે કવિરાજ !. : એક તો એકાએક આખા દેશના વહીવટનો ભાર. એમાં કેટલાંક રાજ્યોમાં ન મળે કાયદો કે ન મળે શાંતિ - બધું જ અસ્તવ્યસ્ત, ત્યાં વહીવટી તંત્ર ઠીક કરવું. અંગ્રેજો તો એકાએક ઊપડ્યા. : તો દશ વર્ષ પછી સ્વરાજ લેવું હતું. : હમણાં એક મારીશને દુષ્ટા ! મહાત્મા ગાંધીજી અને સરદાર કહેતા કે બીજાં દશ વર્ષમાં તો બ્રિટિશ અમલદારો હિન્દને એટલું નબળું, નમાલું અને ગરીબ બનાવી જતે કે એને ઊભા થતાં એક આખો વંશ નીકળી જાત. ફરીથી બીજા ગાંધી સરદાર ક્યાંથી લાવવા ? માયા : પણ સરદારે તો બારડોલીમાં ઘડાયેલા હતા. : એટલે એક નાનકડા બારડોલી પ્રાંતના અનુભવ ઉપરથી આખા ભારતવર્ષનો વહીવટ હલ કરવાનો સહેલો એમ ? બ્રિટિશ સરકારનાં રાજા-રજવાડાંઓ માટેના ખાનગી સરક્યુલરો, અને એમના ચારિત્ર વિશેની નોંધ પણ નાબૂદ કરવાનું બ્રિટિશ અમલદારોએ ઠરાવ્યું. : એ તો બરાબર છે. એ બ્રિટિશ સલ્તનતના ભાગરૂપ હતા. કવિ : પણ બ્રિટિશ સરકારે આખા પ્રદેશનો વહીવટ સોંપ્યો, અને એ રાજ્યોનો પણ ભારતમાં સમાવેશ થવાનો, એટલે એ પણ હિંદને સોંપવા જ જોઈએ તે કેમ ભૂલે છે. છતાં તેં ત્રાવણકોરના દીવાનને આડાઈ શીખવી. માયો કવિ માયા કવિ માયા
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy