SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી માનવપારખુ હતા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધઆસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાહડે ભાવથી કહ્યું, ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે ” કારણે કોઈ ક્લેશ નથી વહોરવો.” આમ છતાં મંત્રી વાહડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી. રાત્રે કપર્દી યક્ષે કહ્યું, “તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.” બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાતીર્થ પર ભીમકુંડ બંધાવ્યો. આ સમયે તીર્થોદ્ધારના વહીવટદાર તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા ટીપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત દ્રમ્મ હતા. એ સઘળી મૂડી એણે ટીપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના ! કેવી ભવ્ય ધર્મપ્રીતિ ! મહામાત્ય વાહડ આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. ટીપની યાદીમાં એમણે ભીમ કુંડલિયાનું નામ પહેલું લખાવ્યું. સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું, “જુઓ, આનું નામ ત્યાગ ! છ દ્રમ્પના ઘીમાંથી એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી. બાકીના સાત દ્રમ્મ ટીપમાં લખાવ્યા. એને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યેનો એનો ધર્મસ્નેહ તો જુઓ !” વાહડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, “મંત્રીશ્વર, આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું ? આ તો છેતરામણી કર્યા જેવું કહેવાય.' મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એમણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછવું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી. ભીમ કુંડલિયોએ કહ્યું, “આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ ૨કમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.” બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાહડને આ રકમ આપી તો મંત્રીએ આ ૨કમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું, મંત્રીશ્વર, મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિના 11 શ્રી મહાવીર વાણી જેવી રીતે લોખંડના ચણા ચાવવા કઠિન છે, તેવી રીતે જ સંયમ-સાધનાનું પાલન પણ કઠિન છે. શ્રી સૂત્રકૃતાંગ સુત્ર, ૧, ૮, ૨૬ ભાવમંજૂષા બે ૧૨ 11 ૧૩ ૭ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy