SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવાહી વાતવ્ય પંડિત માહાબસુત નાનું પઠનાર્થ.” લખેલા તિષ રત્નમાલાની ટીકાના મોટા પુસ્તકમાં ઘણે ઠેકાણે ઉપર માત્રા છે અને સંવત ૧૬૧૧ના મહા વદિ અને સામે લખાયેલું ગણેશ ચતુર્થી વિદ્યાપી” એમાં કોઈ કોઈ ઠેકાણે પડીમાત્રા અને કઈ કઈ ઠેકાણે ઉપર માત્રા છે. સંવત ૧૬રમાં તિલકવાડાના પટપદ્ર (સાદરા) જ્ઞાતિય ભટ જનાર્દન સુત હરજિનું લખેલું “રિવોરિસંગ નામ માષ્યિ”, એમાં બધી માત્રા ઉપર. કરેલી છે. એ પહેલાંના કોઈ પુસ્તક કે પાનામાં બધી માત્રા. ઉપર હોય એવું મારા જેવામાં આવ્યું નથી. સંવત ૧૬૦૦ પછીના પૂર્વાર્ધનાં પુસ્તકમાં ઘણે ઠેકાણે પડીમાત્રા કરેલી જણાય છે, તેમ પંદરમાં સેળમા શતકમાં લખાએલાં પુસ્તકેમાં કોઈ કોઈ ઠેકાણે એક માત્રા બાજુ પર કરવાને બદલે ઉપર કર્યો હોય એવા દાખલા પણ મળે છે. એથી એમ અનુમાન થાય છે કે પંદરમા સલમા શતકમાં એક માત્રા બાજુ પર કરવાને બદલે માથા પર કરવાને ચાલ ચાલવા માંડશે અને સંવત ૧૬૦૦ પછી તે સર્વત્ર ચાલતો થયો. ગુજરાતમાં કાગળની આયાત પહેલ વહેલી કુમારપાળના વખતમાં થઈ, તે પહેલાં તાડપત્ર ઉપર લખવામાં આવતું હતું. કાગળ આવતાં લખવાનાં સાધનની મુશ્કેલી ઓછી થઈ ગઈ એટલે ઉપર માત્રા કરતાં ઉપર નીચેની લિટિ વચ્ચે અંતર રાખવાને સંકોચ ઓછો થઈ ગયે. ઉપરની લિટિમાં લખાયેલું હસ્વ વરડુ, દીર્ઘ વરડુ, જોડાયેલું ઋ અને બીજા જોડાક્ષરોને લીધે ચાલતી લિટિની નીચે કેટલેક ભાગ રોકાણમાં આવી જાય. એ એક રોકાણ ઉપરાંત બધી માત્રા ઉપર કરવાની હોય તે નીચેની લિટિનું રોકાણ પણ નડે, અને બેવડા રોકાણને માટે ઘણી જગા છેડવી પડે. માત્રા બાજુ પર કરવા છતાં
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy