SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૭: શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અમારા શ્રી સંઘે પ્રસ્તુત ગ્રન્થરત્નને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો અને આજે એ ગ્રન્થરત્નને વિદ્વાનના કરકમળમાં મૂકવા અમો ભાગ્યશાળી બન્યા છીએ. ઉંચે આકાશે લહેરાય, દવજ શાસનને ! ગ્રન્થ પ્રકાશનના આજના આ ભવ્ય પ્રસંગે, અમારા શ્રીસંઘને મળેલ અન્યાન્ય લાભોની યાદ સહેજે જ આવી જાય છે. અમારે આંગણે, નૂતન નિર્મિત શ્રી ઋષભજિન પ્રસાદમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવન્તની પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉજવાય હતા. વિ. સં. ૨૦૦૯ના જેઠ સુદિ ૧૦ ને દિને ઉજવાયેલ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન આદિના ત્રણ તારક બિબની તથા ધ્વજદંડની પ્રતિછાનો લાભ શેઠ માણેકલાલ મોહનલાલે લીધે હતે. આ પહેલાં, સંઘની સ્થાપના થઈ ત્યારથી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે આવેલ ગૃહ ચૈત્યમાં દર્શન-પૂજનનો લાભ મળતો હતો. ત્યાર બાદ ધર્મનિષ્ઠ શેઠાણી પૂ. માણેકબાની સૂચના મુજબ ઉક્તિ નવીન જિનાલયનું નિર્માણ થયેલ. પ્રતિષ્ઠા મહોત્સવ પછી, દેવ-ગુરુકૃપાથી એકધારી રીતે જૈન પરિવારની વૃદ્ધિ અમારા શ્રીસંઘમાં થતી ગઈ. અને તેથી “સાંકડા ભાઈ પર્વના દા'ડા” ને બદલે દર્શનાર્થીઓ અને પૂજનાર્થીઓના સમૂહથી રોજ દહેરાસર સાંકડું પડવા લાગ્યું! આથી વિ. સં. ૨૦૩૦માં અમારા શ્રી સંઘમાં ચાતુર્માસાથે પધારેલ પૂજ્યપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવન્ત શ્રીમદ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીને પટ્ટધર પૂજ્યપાદ, શાસન પ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણાથી અમારા શ્રીસંઘે શ્રી ઋષભજિન પ્રાસાદની બન્ને બાજુએ બે દેવકુલિકાઓ તથા ગૂઢ મંડપની આગળ નૃત્ય મંડપ બનાવવાનો નિર્ણય કર્યો અને તદનુસાર દેવકુલિકાઓ અને નૃત્યમંડપ તૈયાર થઈ જતાં નૂતન નિર્મિત દેવકુલિકાઓમાં પ્રતિષ્ઠિત કરવા માટે તારક પરમાત્માઓના બિંબ ભરાવવામાં આવ્યા. અંજનશલાકા મહોત્સવ નવીન ભરાવાયેલ પરમાત્માના બિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠાને મહેત્સવ હવે નજીક આવવા લાગ્યો. પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં આ મહોત્સવ ઉજવાવાન હતું. શ્રી જમનાભાઈ શેઠના બંગલે વિશાળ શમિયાણાઓ બાંધી ભવ્ય નગર
SR No.034254
Book TitleDhatu Parayan
Original Sutra AuthorHemchandracharya
AuthorMunichandravijay
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year1979
Total Pages540
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy