SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ડિલે ઇસ ડેન્જરસ એ માટે ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેંકી દીધાં. જીવ તો બચી ગયો, પણ શરીર સંયમજીવન માટે નકામું થઈ ગયું. આવા તો કેટકેટલા આત્માઓ છે, જેમના વરઘોડાં ય નીકળેલા, કંકોત્રીઓ ય છપાયેલ પણ આજે તેઓ સંસારમાં જ બેઠાં છે ને આંસુ સારી રહ્યા છે. વિલંબના દીકરાનું નામ આંસુ છે. I don't say, કંકોત્રી વગેરેમાં ન જ પડવું, વાત તો એ છે, કે જેને આપણે વિલંબ પણ ન કહીએ, એનું ફળ પણ જો આવું હોઈ શકે, તો પ્રમાદ અને ઢીલાશનું કેવું ફળ હોઈ શકે ? ૯૯ કરોડ સોનામહોરો ને ૮ અપ્સરા જેવી કન્યાઓને છોડીને સંયમજીવનને સ્વીકારનારા જંબૂસ્વામીએ પોતાની માતા પાસે જ્યારે સંયમજીવનની અનુમતિ માંગી હતી ત્યારે માતાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતાં, દરેકે દરેક પ્રશ્નનો જંબૂકુમાર સચોટ જવાબ આપતા ગયાં. ને છેવટે એમણે બે હાથ જોડીને કહ્યું, “અનુમિત દો મોરી માવડી, ક્ષણ લાખેણી જાય રે...’’ લાખેણી એ વાસ્તવિકતા નથી ૫૧
SR No.034129
Book TitleDile is Dangerious
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy