SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારીને વિશ્વોદ્ધાર માટેની આગેવાની લેવી ? ખૂન કે જાતીય સતામણીની એક જ ઘટના પૂરા બે પરિવારોનું ધનોત પનોત કાઢી નાખે છે. વાસનાના વમળો સુખી લગ્નજીવનને રફે-દફે કરી નાખે છે. નિરંકુશ લોભ ભયાનક અનર્થોને આમંત્રણ આપે છે. ફાટ ફાટ થતો ક્રોધ આખા ઘરને નરક બનાવી દે. છે. જેના મનમાં આવા દોષોના સાપોએ રાફડા બાંધ્યા છે, એ ભલે હાઈએજ્યુકેટેડ હોય, ભલે એના નામની પાછળ ડિગ્રીઓના લાંબાલચક પૂંછડા લાગતા હોય. વાસ્તવમાં એ મૂર્ખ છે. સંત કબીરનાં વચનો યાદ આવે છે. काम क्रोध मद लोभ की, जब लग मन में खान । तब लग पंडित मूरख ही, कबीर एक समान ॥ સાચું શિક્ષણ એ છે કે જે દોષોને દૂર કરે અને સદ્ગુણોનું આરોપણ કરે. જીવનને સુખી બનાવવાનો એક માત્ર આ જ ઉપાય છે. સાચું શિક્ષણ એ છે કે જે દોષોને દૂર કરે અને સદ્ગુણોનું આરોપણ કરે. જીવનને સુખી બનાવવાનો એક માત્ર આ જ ઉપાય છે. માતા-પિતાઓ, અધ્યાપકો, આચાર્યો અને શિક્ષામંત્રીઓએ મળીને વ્યક્તિ, સમાજ અને દેશના હિત ખાતર આ ઉપાય અપનાવી લેવો જોઈએ અને તેમની હિતેચ્છતાને પુરવાર કરી દેવી જોઈએ. ५०
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy