SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ . | Sી રહંત યાન દયાOT.CO/ - ::+ -*- , મ હ | ' આ રહ્યો; તે ઉપાય. એ છે પુણ્યનું – વિશુદ્ધ પુણ્યનું – ઉત્પાદન. વાસનાને જન્મ દેતાં પાપકર્મો સાથે લડવામાં બમણા વેગથી હુમલાઓ આવવાની પૂરી શક્યતા છે. લડીને જીતી લેવાય તેટલી સરળ એ લડાઈ નથી. પાપકર્મોને તે એના જ જેવા કોઈ કર્મ સાથે લડાવી મારીને ખતમ કરી દેવા જોઈએ. એ કર્મ છે; પુણ્યકર્મ. પુણ્યકર્મ સાથે પાપકર્મને લડાવી મારે; અને તે પાપકર્મોને નષ્ટ કરો. જેટલા મજબૂત પાપકર્મો હેય તેટલું મજબૂત આપણું પુણ્યકર્મ પણ હોવું જોઈએ; નહીં તે તે ટકી ન શકે. વિશિષ્ટ કોટિના પુણ્યથી એ સદ્દગુરુગ; કલ્યાણમિત્રને સંગ, અનુકૂળ ધર્મક્ષેત્ર વગેરે થઈ જાય છે કે તેથી વાસનાઓ સહજ રીતે -શાન્ત–ઉપશાન્ત બની જાય છે. બેશક, આ પુણ્ય જેમ શુદ્ધ (અર્થકામની આકાંક્ષા વિનાનું) હોવું જોઈએ; તે જ તે ઝટ ફળે. મયણાસુંદરીનાં જીવન-પ્રસંગમાં તેણે ઉત્પન્ન કરેલા ઉગ્ર પુણ્યના ચમકારા આપણને જોવા મળે છે. જે આવું શુદ્ધ અને ઉગ્ર પુણ્ય હાંસલ થાય તે ધમીજને કે ધર્મસંઘ ઉપર આવતાં ધર્મનાશક આક્રમણની પણ પીછેહઠ થવા લાગે. જે સંઘ પાસે પુણ્યની મૂડી ઓછી થઈ ગઈ હોય કે પરવારી ગઈ હોય તેવા સંઘને જ કોઈ આંગળી કરી શકે કે અડપલું કરી શકે ને ? પુણ્યશાળીને આંગળી શી અને અડપલું ય શેનું ? આક્રમણની તે વાત જ ક્યાં રહી? આજે ધાર્મિકજનેનું પુણ્ય ઘટયું છે એ પણ એક હકીકત છે. એને ઈનકાર થઈ શકે તેમ નથી. વાસનાઓનું નાશક પુણ્ય આ રીતે ૫. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy