SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૬ મું. જ્ઞાની પુરુષ, કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવ નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચછા રાખે છે, કેમકે જીવને જે અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય, તે સત્સંગ જે કોઈ સરલ ઉપાય નથી. (૨) અહંવૃત્તિનો પ્રતિકાર “ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરૂષોનાં વચન છે, તે સૈ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે. તે તે પ્રકારે તે બ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર વિશેષકરી સ્થિર થવાનું છે;–વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષા ગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્યક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે પૂજાલાઘાદિ પામવા અથે, કોઈ મહાપુરૂષનો કંઈ ઉપદેશ છે નહીં; અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરૂષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયેલો હોય એવા મહિમાગ્ય ગુણથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી; પણ અલ્પ પણ નિજદેષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિનાપ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનપુરૂષનાં વચનામાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ સદ્દગુરૂ અને સશાસ્ત્રાદિ સાધન કહ્યાં છે;-જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજ વરૂપ કરવાના હેતુપણેજ છે, તથાપિ જીવ જે ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે, તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વચનાબુદ્ધિ એટલે સત્સંગ, સશુરૂ આદિને વિષે ખરા આત્મભાવે મહાસ્યબુદ્ધિ ઘટે તે મહામ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વત્ય કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા–લઘુતા–વિચારી અમહાભ્યબુદ્ધિ નહીં–તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં. પણ વંચનાબુદ્ધિ છે, ત્યાં પણ જીવ લઘુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ” ભવપરિભ્રમણથી ભય નથી પામતે એમ જ વિચારવાગ્ય છે, વધારે લક્ષ તે પ્રથમ જીવને જે આ થાય તે સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy