SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦) રાજબોધ. • વિષે પરિમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુકતપણું કરે છે. નિજ પરભાવ જેણે જાણ્યા છે, એવા જ્ઞાની પુરૂષને ત્યાર પછી પરભાવનાં કાર્યોને જે કંઇ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટયા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતા નથી. પ્રતિબંધ થતું નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જયાં હેય નહીં ત્યાં, પરભાવને વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવો પણ સંભવે છે, અને તેટલા માટે પણ જ્ઞાની પુરૂષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચયી પુરૂષાર્થને વખાણે છે, તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરાયોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા ગ્ય છે. ' જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્યપણે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ એથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાની જવને તે અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યોથી દૂર રહેવું-નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તે એજ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પરભાવને પરિચય બળવાન પણે ઉદય હોય ત્યાં, નિજ પદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી, નિત્યનિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી; એમ મોટા પુરુષો એ કહ્યું છે. ' ', ' , " . . અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તે અત્યંત પુરૂષાર્થ કરી ઝવે પર પરિચયથી નિવૃત્તવું જ ઘટે છે. હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણે ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાળે તે વિચાર કર્તવ્ય છે, અને તેમ કરતાં અસાતાદિ આપત્તિયાગ દવા પડતા હોય, તે તેને વેદીને પણ પરસ્પરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકારે કરે ગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવાયોગ્ય નથી, જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તે જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તે અવસ્ય પૂરપરિચયતે છેદીને સત્સંગ કર્તવ્ય છે; કે જે સત્સંગથી સહેજે અવ્યાબંધ સ્થિતિનો અનુભવ થાય છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy