SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કુળપાપા કસ્તૂરભાઈને વારસામાં મળેલા સંસ્કારોની પરંપરા તેમના દસમી પટી થયેલા પૂર્વજ શેઠ શાંતિદાસથી શરૂ થાય છે. શાંતિદાસના સાતમી પેઢીના પૂર્વજ પસિહ ક્ષત્રિય જાગીરદાર હતા. તેમણે જૈન ધર્મની દીક્ષા લીધી. મુસ્લિમ આક્રમણથી ત્રાસીને શાંતિદાસના પિતા સહસ્ત્રકિરણ રાજસ્થાનમાંની જાગીર છોડીને અમદાવાદ આવીને વસેલા. ત્યાં એક ઝવેરીને ત્યાં નોકરી કરતાં કરતાં આપબળે ઝવેરી બન્યા હતા. શાંતિદાસને પિતાનો વ્યવસાય વારસામાં મળેલ. તેમની રત્નપરખથી ખુશ થઈને બાદશાહ અકબરે શાંતિદસને પ્રથમ ક્ષાના અમીરની પદવી આપી હતી, અને તેમને અમદાવાદના નગરશેઠનું પદ આપવા માટે સૂબા અજીમખાનને ફરમાન કર્યું હતું. નગરશેઠ શાંતિદાસે અબરથી રિસાઈને આવેલ બેગમ બાદ અમદાવાદમાં પોતાને ઘેર ઉતારો આપીને બહેન તરીકે અપનાવી હતી. જદંગીર તેમને “ઝવેરી મામા કહેતો. પંદર હજાર માણસોના સંઘ સાથે શત્રુંજયની યાત્રા નીકળ્યા તે વખતે તેમણે સંઘના રક્ષણ માટે બંદોબસ્ત કરવા જહાંગીર પાસે સૂબેદાર પર ફરમાન કઢાવ્યું હતું. અમદાવાદમાં બીબીપુરા (અત્યારના સરસપુર) ખાતે જૈનમંદિર બાંધવા માટે જહાંગીરે શેઠ શાંતિદાસને રુક્કો આપ્યો હતો. નવ લાખ રૂપિયા ખર્ચીને શાંતિદાસે ત્યાં શ્રી ચિતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બાંધ્યું હતું અને બે લાખ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy