SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્રિતીય અમદાવાદ ૧૧ છે. પરંતુ તેની સ્થાપના અને સંચાલનની આર્થિક જવાબદારી તો તેના નિયામક મંડળે જ ઉઠાવેલી છે. “હિમતે મર્દા તો મદદે ખુદા” એ નીતિ અંગત મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા પૂરતી જ નહીં, પણ સાર્વજનિક હિતનાં કાર્યોમાં પણ અમદાવાદના અગ્રણીઓએ અપનાવેલી છે. ખરું જોતાં મહેનત કરીને રોટલો રળતા પ્રત્યેક અમદાવાદીનું એ જીવનસૂત્ર છે. પછી તે હાથલારી ખેંચતો મજૂર હોય, કાપડ બજારનો વાણોતર હોય, સાઈકલ પર યૂશને જતો શિક્ષક હોય કે ખરે બપોરે મિલમાંથી મોટરમાં પાછો ફરતો મિલમાલિક હોય. કસ્તૂરભાઈમાં અહીં વર્ણવેલી આ મહાન નગરીની શ્રી, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાનું સાચું પ્રતિનિધિત્વ જોવા મળે છે. આ ઉપરાંત તેમના કુળની પણ એક ઉજજવળ પરંપરા છે. કટોકટીની વેળાએ પ્રજાની પડખે ઊભા રહીને મદદ કરવી, જરૂર પડ્યે સત્તાધારીઓ સમક્ષ પ્રજાનો અવાજ અસરકારક રીતે પહોંચાડવો, ધન કમાવું પણ તેનો સમાજહિતાર્થે સત્કાર્યમાં ઉપયોગ પણ કરવો અને કોઈથી દબાયા વગર કુનેહપૂર્વક મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો એ તે પરંપરાનાં મુખ્ય બિંદુઓ છે. શેઠ શાંતિદાસથી કસ્તૂરભાઈ સુધી લગભગ ચાર સૈકા સુધી આ પરંપરા વિસ્તરેલી છે. કસ્તૂરભાઈના જીવનકાર્યની સાથે તેનું સ્વાભાવિક રીતે જ પૂર્વસંધાન થઈ જાય છે. એટલે તે કુળપરંપરાની ઝલક લઈને જ આગળ વધવું ઉચિત ગણાશે. ટીપ ૧. Ahm, p. 5. ૨. Ahm, p. 5. ૩. ગૃપાએ, પૃ. ૫૪૮. ૪. ગૃપાએ, પૃ. ૫૪૯. ૫. ગૃપાએ, પૃ. ૫૫૩. ૬. ગૂપા, ૫. ૧૪. ૭. ગૃપાએ, પૃ. ૨૪. ૮. ગૂપાઅ,. ૩૩. ૯. ગૃપાએ, પૃ. ૪૨. ૧૦. AR, p. 3. ૧૧. AR, p. 7. ૧૨. AR, p. 9. ૧૩. ગૃપાએ, પૃ. ૬૩. ૧૪. AR, p. 9. ૧૫. AR, p. 12. ૧૬. શહેનશાહ જહાંગીરે ઇંગ્લંડના રાજા જેમ્સ પહેલાને ઉદ્દેશીને જે કરારપત્ર લખી આપેલા તેમાંના એકમાં લખેલા નીચેના શબ્દો ધ્યાનપાત્ર છે: "Upon which assurance of Your Royal Love, I have given my general command to all the kingdoms and Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy