SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિસષ્ટિને સાર (૭૬૫) અનેક પ્રકારના ભેદવાળા હોય છે, કારણ કે ખેાધ ત્રણ પ્રકારના હોય છે : ( ૧ ) બુદ્ધિ, (૨) જ્ઞાન (૩) અસમાહ. તે બેષ થકી સર્વ કર્માંમાં ભેદ પડે છે. તેમાં ઇંદ્રિયાના આશ્રય કરે તે બુદ્ધિ, આગમપૂર્વક હોય તે જ્ઞાન, અને સદનુષ્ઠાનયુક્ત જે જ્ઞાન તે અસમાહ બુદ્ધિક્રિયાનું ફળ સ`સાર, જ્ઞાનક્રિયાનું ફળ પરપરાએ મેાક્ષ અને અસમાહુ ક્રિયાનું ફળ શીઘ્ર માક્ષ છે. આ અસમાહ કમ ભવાતીત અગામી મુમુક્ષુઓને જ હેાય છે, અને ભવભાગવિરક્ત આ ખરેખરા મુમુક્ષુઓને માત્ર એક જ શમપરાયણ એવા છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે. કારણ કે તે સંસારાતીત પર તત્ત્વ ‘નિર્વાણ' નામનું છે, તે સદાશિવ પરબ્રહ્મ સિદ્ધાત્મા આદિ શબ્દભેદે ઓળખાતુ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. એટલે આ નિર્વાણુતત્ત્વ અસંમેાહથી તત્ત્વથી જાણ્યે પ્રેક્ષાવાને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુતત્ત્વ નિયમથી જ સ`જ્ઞપૂર્વક સ્થિત છે, એટલે તે સજ્ઞના ભેદ કેમ હાય અને તે ન હેાય તા તેના ભક્તોના ભેદ પણ કેમ હાય ? તા પછી સર્વજ્ઞાની દેશનાના ભેદ કેમ છે? તેનું સમાધાન—(૧) શિષ્યના અનુગ્રહાથે તે ચિત્ર-નાના પ્રકારની છે. (૨) અથવા એએની દેશના એક છ્તાં શ્રાતાભેદે તેના મચિન્ત્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે. (૩) અથવા તે તે દેશ-કાલાદિ અપેક્ષાએ ચિત્ર દેશના ઋષિએ થકી જ પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે તે સર્વજ્ઞના અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરોધ કરવા યુક્ત નથી. એટલે આવા સર્વજ્ઞ જેવા અતીન્દ્રિય વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ શુષ્ક તર્ક-ગ્રહથી વાદવિવાદ કરવા યુક્ત નથી. મુમુક્ષુને તે તત્ત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? માટે મુમુક્ષુએ તે આ મહત્ પુરુષોના માને સમ્યક્ષણે અનુસરવુ' ચેાગ્ય છે : (૧) સુક્ષ્મ પરપીડન પણુ વર્જવું, (૨) પાપકારમાં સદેવ યત્ન કરવા. (૩) ગુરુદેવ દ્વિજ-યતિ આદિને યથાયેાગ્યપણે પૂજવા, (૪) પાપી જીવા પ્રત્યે પણ દયાપરાયણ થવું. તાત્પર્યં કે જે આગ્રહનું વિષ વશે, તે જ સમ્યક્ત્ત્વ અમૃતને પામશે. ૫. સ્થિરાદષ્ટિના સાર આ પાંચમી સ્થિરા દષ્ટિમાં (૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમું યાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામના પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મ બેલ નામના પાંચમા ગુણ સાંપડે છે. એટલે ગ્રંથિભેદ થકી શુદ્ધાત્માનુભૂતિરૂપ વેદ્યસ ંવેદ્યપદની પ્રાપ્તિથી મહ-તમસ્ દૂર થઇ ભેદજ્ઞાનનું પ્રભાત ખુલ્લે છે, સ્વ-પર વસ્તુના વિવેક ઉપજે છે, સમસ્ત શવચેષ્ટા માલકની ધૂલિગૃહક્રીડા જેવી, મૃગજલ સ્વપ્નાદિ જેવી અસાર ને અસ્થિર લાગે છે, સવ` બાહ્ય ભાવા મૃગજલ ને સ્વપ્નાદિ સમાન ભાસે છે, અબાહ્ય એવી કેવલ એક આત્મયૈતિ જ પ્રમાણ ગણી માકી બીજો બધા ઉપપ્લવ જાણું છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy