SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩૮) યોગદૃષ્ટિસમુચ્ચય સ્વરૂપ લક્ષ્ય ભણી જ હાય, અવાંચક-અચૂક જ હાય, આડીઅવળી ન હેાય, વાઁચક–ચૂકનારી ન હેય. આમ આ ક્રિયાવાંચક પ્રસ્તુત ખાણના દેષ્ટાંતમાં બાણુની અવંચક ગમનક્રિયા બરાબર છે; કારણ કે જો નિશાન પ્રત્યે માણુના ચૈાગ–અનુસ ંધાન ખરાખર તાકેલ-અવચક્ર હાય, તે। નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ ખરાખર અચૂક-અવરચક જ હોય. અને જો નિશાન પ્રત્યે ખાણને ચેાગ–અનુસ ́ધાન ખરાખર તાકેલ ન હોય, વંચક-ચૂકી જનાર ઢાય, તેા નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વાંચક હેય. તેમ યાગ જો અવ'ચક હાય, તે ક્રિયા પણ અવ'ચક હોય; અને યાગ જે વહેંચક હેાય તે ક્રિયા પણ વાંચક હાય, આ નિયમ છે. એટલે સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ-ઓળખાણુરૂપ ચેગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હેાય છે. તે ઓળખાણુ પહેલાંની જે ક્રિયા છે, તે વચક હોય છે-સળથી ચૂકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સત્પુરુષના અનંત ક્રિયા કરવામાં કઈ મણા રાખી નથી, અન ́ત પરિશ્રમ ઊઠાવચેાગ વિનાની વામાં કાંઇ ખાકી રાખી નથી. ( જુએ પૃ. ૧૬૨) અરે! દ્રવ્ય શ્રમણવ'ચક ક્રિયા પણાની અનત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ ત્રૈવેયકમાં પણ અનંત વાર ઉપજ્યા હતા. પણ તથારૂપ ભાવ વિના પરમાથી તે ખાપડાની આ બધી મહેનત પાણીમાં ગઇ છે ! કારણ કે જીવને આ બધા પ્રયાસ ઉલટી દિશામાં–ઉધી દિશામાં હતા. ધી દિશામાં લાખા ગાઉ કાપી નાંખ્યું શું વળે ? સાચી દિશામાં એક ડગલું પણ વધે તેા લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તે આ જીવે કયુ ન્હોતુ ને તેથી તે રખડયો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને સત્પુરુષને ચૈાગ થયા નહિ. તે છે. સત્પુરુષના ભેટ તે તેને અનેક વાર થયેા હશે, પણ તેણે સત્પુરુષને તત્સ્વરૂપે આળખ્યા નહિ, એટલે કલ્યાણુ થયું નહિ. સત્પુરુષનુ સ્વરૂપ આળખી તેને જો એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યાં હાત, તા તેનેા એડા કયારને પાર થઇ ગયા હેત ! કારણ કે જિનવરવૃષભ વમાનને એક પણ નમસ્કાર સ’સારસાગરથી નર કે નારીને તારે છે–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જો તેણે આગમરીતે વંદના કરી હેાત તા સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત. (જુએ પૃ. ૩, ‘ફ્લો સમુદ્દાો’ઇ.) આમ તેણે સત્પુરુષને એથે અન ́તવાર વંદનાદિ કર્યું" હશે-પણ એળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વંચક થઇ પડી, સત્ત્ફળથી ચૂકવનારી-વાંચનારી થઇ પડી ! હા, તેથી શુભખંધ થયા-પુણ્યાપાર્જન થયું, પણ સંસાર પરિભ્રમણ અટક્યું નહિ; ચતુતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મેાક્ષરૂપ એકાંત ફળ મળ્યું નહિ! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતા કે હું ધમ કરું છું, યેાગ સાધુ છું, મેાક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી ભ્રાંત માન્યતાથી તે સ્વરૂપલક્ષ્ય વિનાની ક્રિયા વાંચક
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy