SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કુયોગી આત્રિ કઇક ઉપકાર (૬૭૯) જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે –પિતાના આત્માની અનુમૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ ગ્રતાવાળા આત્માઓને આ ગ્રંથ કંઈક ઉપકારી થઈ શકવાને સંભવ પણ છે, કારણ કે તેઓનું આત્મત્વ સમાન છે, એટલે તેઓને કુલગી પણ આના થકી આત્માનુસ્મરણ થવાને-આત્મભાન આવવાને સંભવ છે. આદિને કંઈક સર્વ આત્માઓને સ્વભાવરૂપ ધર્મ સમાન હોવાથી સમાનધર્મીઉપકાર સાધમિક એવા અન્ય આત્માઓને પણ, જો તેઓ આ સંસ્કાર ઝીલે તે, આના થકી આત્મજાગ્રતિરૂપ આત્મલાભ થવો સંભવે છે, કારણ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિંહશિશુને જેમ સિંહને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, (જુઓ પૃ. ૧૧૩) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગમાં–પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણ થાય એવી સંભાવના છે. અને તે સંસ્કાર ઝીલવા (Reception) માટે પણ કંઈક તથારૂપ યોગ્યતા જોઈએ છે. જેમ રેડિયે પ્રવચનના (Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન (Waves) ઝીલવા માટે રેડિઓ યંત્ર અમુક ચેકકસ કક્ષા પર-રેખાંશ “ ગ” વિના (Wave-length) પર હોવું જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, જોગ નહિં નહિ તે નહિ; તેમ આ ગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન | (Vibrations) ઝીલવા માટે આત્મા પણ અમુક ચોક્કસ ગ્યતારૂપ કક્ષા પર–ગરેખાંશ પર રિથતિ કરતે હે જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, નહિ તે નહિં. અથવા પાત્ર વિના વધુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં કહ્યું છે તેમ-“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન.” “ગ” (યોગ્ય) જીવ વિના આ “જગરૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે-“સિંહણ કેરું દૂધ તે તે સિંહસુતને જરે,”—બીજાની તે હાજરી જ ફાટી જાય; તેમ આ “જગ'રૂપ પરમાન પણ તથારૂપ યોગ્યતાવાળા જેગીજનેને જ કરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાભિમાનરૂપ અજીર્ણ—અપચો ને ઉદરપીડા ઉપજાવે એમ છે. અને તે જોગીજનના ચાર પ્રકાર છે, કારણ કે ગે ગ, કુલગ, પ્રવૃત્તચોગ, ને નિષ્પન્નયોગ-એમ યોગના ચાર પ્રકાર છે. એટલે ગોગી , કુલગી, પ્રવૃત્તચગી, ને નિષ્પન્નગી એમ ભેગીઓના પણ સામાન્યથી ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે). એઓને પણ યથાયોગી સંભવ આ ગગ્રંથથી ઉપકાર થવો સંભવે છે. અને તે ઉપકાર થવાનું કારણ પણ તેઓને યેગ પ્રત્યેને અંતરંગ ભાવથી પક્ષપાત હોય છે, એ છે તેઓને કુદરતી રીતે જ યોગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ-નૈસર્ગિક પ્રેમ હોય છે,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy